તેમણે કહ્યું કે, જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જેટલા ખર્ચની જાહેરાત કરવામાં આવી છે તે પુરી થાય છે તો રોજગાર પેદા થશે પરંતુ બજેટની જાહેરાતોથી માંગ પર કોઇ વધુ અસર નહી થાય. સમસ્યા જેટલી મોટી છે તે હિસાબે બજેટમાં રોકાણની જાહેરાત કરવામાં આવી નથી. એવામાં પાંચ ટ્રિલિયનની ઇકોનોમીનું લક્ષ્ય પુરુ થઇ શકશે નહીં.
હીરાનંદાની ગ્રુપના ફાઉન્ડર અને એમડી નિરંજન હીરાનંદાનીએ કહ્યું કે, નાણામંત્રીએ બજેટમાં ઇકોનોમીનું સ્પષ્ટ માળખું આપ્યું છે પરંતુ તમામ સેક્ટરને આપવામાં આવેલુ ફંડ પુરતું નથી. નોંધનીય છે કે નાણામંત્રી સીતારમણે આજે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, અમારુ લક્ષ્ય દેશની સેવા કરવાનું છે.