✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી સરકારના ક્યા નિર્ણયથી એક્ટર્સ ક્રિકેટર્સ સહિતની સેલિબ્રિટીઝ ગઈ છે ફફડી? ધનિકો પણ થઈ ગયા છે દોડતા? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jan 2018 11:37 AM (IST)
મોદી સરકારના ક્યા નિર્ણયથી એક્ટર્સ ક્રિકેટર્સ સહિતની સેલિબ્રિટીઝ ગઈ છે ફફડી? ધનિકો પણ થઈ ગયા છે દોડતા? જાણો વિગત
1

એફઆરડીઆઈ બિલનો હેતુ નાણાકીય સંસ્થાઓને બંધ કરવાની વ્યવસ્થિત પ્રક્રિયા સ્થાપિત કરવાનો છે. તેમાં રિઝોલ્યુશન કોર્પોરેશન (RC) બનાવવાનો પ્રસ્તાવ છે, જે બેંક, NBFC, ઇન્સ્યોરન્સ કંપનીઓ, સ્ટોક એકસચેન્જીસ સહિત ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સમાં નાણાકીય અવરોધોના શરૂઆતના સંકેતોને પકડી શકશે.

2

નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ FRDI એટલે કે ફાઇનાન્શિયલ રિઝોલ્યૂશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ બિલમાં બેલ-ઈન અંગે બેન્ક ડિપોઝિટર્સમાં ભયનો માહોલ ઉભો થયો છે તેના કારણે અમીર રોકાણકારો સુરક્ષિત કાયદાકીય વિકલ્પ શોધવામાં લાગી ગયા છે. કેટલાક મની મેનેજરો અને વકીલો સાથે વાતચીત કરવા પર જાણવા મળ્યું કે કેટલાક બોલિવૂડ સેલિબ્રિટીઝથી લઈને કોર્પોરેટ સીઈઓ અને એનઆરઆઈ પૂછી રહ્યા છે કે, શું તેમણે તેમની ફિકસ્ડ ડિપોઝિટ બંધ કરાવી દેવી જોઈએ?

3

૧૦ બેંકોને પ્રોમ્પ્ટ કરેકિટવ એકશનના દાયરામાં લાવવામાં આવી છે, એવામાં જે લોકોને આ મામલે સંપૂર્ણ જાણકારી નહોતી, તેમણે એવી અફવા ફેલાવી દીધી છે કે, આ બેંકો બંધ થઈ જશે. આમ બેંક ડિપોઝિટર્સનો ભય સ્વાભાવિક છે, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે, આરબીઆઈ અને સરકાર બંનેએ કોઈ પણ બેંકને બરબાદ થવા દીધી નથી.'

4

તેમણે કહ્યું છે કે, સરકાર ડિપોઝિટર્સના રૂપિયા સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ઘ છે. એક પીએસયુ બેન્કરે નામ ન આપવાની શરતે કહ્યું છે કે, 'ડરનું મોટું કારણ સોશિયલ મીડિયામાં ફેલાઈ રહેલી અફવા છે, પરંતુ અમારે ત્યાંથી ડિપોઝિટ ઉપાડવામાં આવી રહી નથી.

5

ગયા મહિને બેંક ડિપોઝિટ્સની સેફ્ટી અંગે ઘણો હોબાળો થયો હતો. એવી પણ ચર્ચા હતી કે, બેંકોના બેલ-ઇનમાં ડિપોઝિટર્સના રૂપિયાનો ઉપયોગ થઈ શકે છે. આનાથી ડિપોઝિટર્સનાં મનમાં ડર પેસી ગયો છે. એફઆરડીઆઈ અંગે પબ્લિકમાં એટલી ગેરસમજ પેદા થઈ ગઈ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાપ્રધાન અરૂણ જેટલીએ પણ આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે.

6

જોકે આ મામલે બેંકોનું કહેવું છે કે, લોકોમાં ભયનો માહોલ બની રહ્યો છે, પરંતુ એફડી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી મોટા પાયે ઉપાડ થઈ રહ્યો નથી. આ પ્રકારની બાબતો જોઈ રહેલા એક વકીલ કહે છે કે, 'આવી જાણકારી માટે અમારી પાસે ઘણી બોલિવૂડ સેલિબ્રિટીઝથી લઈને ક્રિકેટર્સ અને હાઈ નેટવર્થ ઇન્ડિવિઝુઅલ્સ (એચએનઆઈઝ) તરફથી કોલ્સ આવ્યા હતા કે, બેંકોના મામલે બેલ ઇન કલોઝ કયાં લાગુ થઈ શકે છે અને તેની શી અસર થઈ શકે છે? લોકોના મગજમાં એક વાત બેસી ગઈ છે કે, બેલ ઇનમાં નાના ડિપોઝટર્સને તો છોડી દેવામાં આવશે, પણ હાઈ વેલ્યુ ડિપોઝિટસનો ઉપયોગ થઈ શકે છે.'

  • હોમ
  • બિઝનેસ
  • મોદી સરકારના ક્યા નિર્ણયથી એક્ટર્સ ક્રિકેટર્સ સહિતની સેલિબ્રિટીઝ ગઈ છે ફફડી? ધનિકો પણ થઈ ગયા છે દોડતા? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.