સરકારે નાની બચત યોજનાઓ પર મળતા વ્યાજમાં કર્યો 0.10 ટકાનો ઘટાડો, નવા દર એક એપ્રિલથી લાગુ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Mar 2017 12:25 PM (IST)
1
નલી દિલ્હીઃ નાની બચત યોજનાઓ પર મળતા વ્યાજમાં એક વખત ફરી ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે પીપીએફ સહિત સ્મોલ સેવિંગ્સ ડિપોઝિટ્સના વ્યાજ દરમાં 0.1 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દર એક એપ્રિલથી લાગુ થશે.
2
સરકારે કિસાન વિક્સ પત્ર પર વ્યાજ દર ઘટાડીને 7.6 ટકા કર્યા છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે બચત દર પર 0.1 ટકા ઘટાડીને 8.4 ટકા કર્યો છે.
3
તેવી જ રીતે એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે પીપીએફ પર વ્યાજ દર ઘટાડીને 7.9 ટકા કરવામાં આવ્યા છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર આ દર ઘટીને 7.9 ટકા અને કિસાન વિકાસ પત્ર પર 7.6 ટકાના દરે વ્યાજ દર લાગશે.