GSTમાં મળી શકે છે મોટી રાહત, AC રેસ્ટોરાંમાં ટેક્સ ઘટાડીને 12% કરવાની ભલામણ
કંપોઝિશન યોજના એ વિનિર્માતાઓ રેસ્ટોરાં તથા વેપારીઓ માટે છે જેમનો કારોબાર એક કરોડ કરતાં વધારે નથી. પૂર્વમાં આ સીમા 75 લાખ રૂપિયા હતી અને જીએસટી પરિષદે આ સીમા ઑક્ટોબરમાં વધારીને એક કરોડ રૂપિયા કરવામાં આવી છે. જે હેઠળ કરની ચૂકવણી કરવાની હોય છે અને નિયમિત કરદાતાએ માસિક આધાર પર વેરો ચૂકવવાનો હોય છે. તો એકમુશ્ત કંપોઝીશન યોજનામાં ફક્ત એખ રિર્ટન ભરવાની જ જરૂરિયાત હોય છે. અને ત્રિમાસિક ગાળાના આધારે કર ચૂકવવાનો હોય છે.
અસમના નાણા મંત્રી હેમંત બિશ્વા સરમાની અધ્યક્ષતામાં બનેલી જીઓએમ જીએશટી એકમુશ્ત યોજનાના પરિઘમાં ન આવનારી એસી તથા નોન એસીરેસ્ટોરાં વચ્ચેના અંતર મિટાવવા માટે પણ સૂચન કર્યું છે. સમિતિએ આ યોજનાના પરિઘમાં ન આવનારી રેસ્ટોરાં પર જીએશટીનો દર 12 ટકા રાખવાનું સૂચન કર્યું છે. જોકે જે હોટેલમાં રૂમનુ બાડું 7,500 રૂપિયા કરતાં વધારે છે તેની પર 18 ટકાના દરે કર લગાવવાની ભલામણ કરી છે. નોંધનીય છેકે ઑક્ટોબરમાં મળેલી એક બેઠકમાં જીઓએમની રચના કરવામાં આવી હતી. જેને રેસ્ટોરાંના જુદા જુદા માળખા તથા તેના કર અંગે વિચારણા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કંપોઝિન યોજનાને વધુ આકર્ષક બનાવવા માટે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે વિનિર્માતાઓ અને રેસ્ટોરાં માટે દરમાં ઘટાડો કરવાની ભલામણ કરી છે અને તેને એક ટકા રાખવાની ભલામણ કરી છે. હાલમાં કમ્પોઝિન યોજના અંતર્ગત એક બાજી વિનિર્માતાઓને જીએસટી અંતર્ગત બે ટકાના દરે ટેક્સ આપવો પડે છે જ્યારે રેસ્ટોરાં માટે આ 5 ટકા છે. વેપારીઓ હાલમાં એક ટકાના દરે પેમેન્ટ કરે છે.
જીએસટી પરિષદની આગામી બેઠકમાં કર રાહતની ભલામણો પર પરિષદ મહોર મારી શકે તેવી શક્યતા છે. એસી રેસ્ટોરાંમાં અત્યારે 18 ટાકાના દરે ટેક્સ લાગે છે. જેમાં મૈન્યુફેકચર્સ ઉપર બે ટકા અને રેસ્ટોરાં માલિકોએ પાંચ ટકા ટેક્સ ચૂકવવાનો હોય છે. જેને ઘટાડીને બંને માટે 1-1 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે.