આજથી વેટિંગ ટિકિટવાળા પેસેન્જરને પણ મળશે કન્ફર્મ સીટ, જાણો સરકારની નવી સ્કીમ વિશે...
વિકલ્પ સ્કીમને લાગુ કરવાથી રેલવેને સૌથી વધુ ફાયદો થશે. આ સ્કીમ લાગુ થવાથી રેલવેને ટિકિટ રિફન્ડ ઓછું કરવું પડશે, જે સીધી રીતે રેલવે માટે ફાયદાકારક સાબિત થશે. રેલવે ભવનના સૂત્રોએ જણાવ્યું છે કે રેલવેને દર વર્ષે લગભગ 7500 કરોડ રૂપિયાનું જે રિફન્ડ આપવું પડતું હતું, તે આપવું પડશે નહિ. જે પૈકીના 3500 કરોડ રૂપિયા માત્ર વેટિંગ ટિકિટ કેન્સલ કરાવવાના કારણે આપવા પડે છે.
રેલવેની વિકલ્પ સ્કીમ નિયમ અંતર્ગત રાજધાનીની વેટિંગ ટિકિટ લેનારને મેલ અને એકપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરવા પર રિફન્ડ મળશે નહિ. આ જ રીતે મેલ અને એકપ્રેસ ટ્રેનની વેટિંગ ટિકિટ લેનારા પેસેન્જર પાસેથી રાજધાનીમાં મુસાફરી કરવા પર વધારાનો ચાર્જ પણ વસુલવામાં આવશે.
આ સ્કીમ અંતર્ગત એવું પણ થઈ શકે છે કે જે પેસેન્જરે રાજધાની કે શતાબ્દી ટ્રેનની વેટિંગ ટિકિટ લેનારને મેલ અને એકપ્રેસ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટની સાથે મુસાફરી કરવાની તક મળશે. સાથે જ મેલ અને એકપ્રેસ ટ્રેનની ટિકિટ લેનારા પેસેન્જરને રાજધાનીમાં મુસાફરી કરવાની તક પણ મળી શકે છે.
વિકલ્પ સ્કીમમાં તે પેસેન્જરને પસંદ કરવામાં આવશે, જેમની સીટ ચાર્ટ તૈયાર થઈ ગયા બાદ પણ કન્ફોર્મ થતી નથી. રેલવે માત્ર આ પેસેન્જરોને વૈકલ્પિક ટ્રેનમાં સીટની ફાળવણી કરવા પર વિચાર કરશે. તેના માટે કોઈ પેસેન્જરો પાસેથી વધારોનો ચાર્જ લેવામાં આવશે નહિ અને આ સિવાય ભાડામાં અંતર થવા પર રિફન્ડની સુવિધા પણ આપવામાં આવશે નહિ.
આ સ્કીમ અંતર્ગત હવે એકસપ્રેસ અન મેલની ટિકિટ લીધા બાદ રાજધાની કે શતાબ્દી ટ્રેનમાં મુસાફરી કરી શકાશે. આ વિકલ્પ તે પેસેન્જરો માટે ઉપલબ્ધ હશે, જે બુકિંગના સમયે વૈકલ્પિક ટ્રેનમાં મુસફરીનો ઓપ્શનને પસંદ કરશે. રેલવેની આ સ્કીમની શરૂઆત ઓનલાઈન ટિકિટ બુકિંગ કરનારાઓથી થશે. બાદમાં રેલવે વિન્ડો ટિકિટ માટે પણ આ સ્કીમનો વિસ્તાર કરવામાં આવશે. હાલ રેલવે દિલ્હી-લખનઉ, દિલ્હી-જમ્મુ અને દિલ્હી-મુંબઈ સહિત 6 રૂટો પર આ સ્કીમને પાયલોટ બેસિસ પર ચલાવી રહી છે.
નવી દિલ્હીઃ આજતી વેટિંગ લિસ્ટવાળા પેસેન્જરો પણ પણ કન્ફર્મ સીટ મેળવી શકશે. રેલવે 'વિકલ્પ' સ્કીમ લોન્ચ કરી છે જે આજથી લાગુ થઈ રહી છે. વિકલ્પ સ્કીમ અંતર્ગત હવે રેલવેની વેટિંગ ટિકિટ લેનારા પેસેન્જર આગળની ટ્રેનમાં કન્ફોર્મ સીટ મેળવી શકે છે. આ સ્કીમ અંતર્ગત મેલ અને એકપ્રેસ ટ્રેનની ટિકિટ લીધા બાદ રાજધાની અને શતાબ્દી ટ્રેનમાં પણ ટ્રાવેલ કરી શકાશે. જેના કારણે રેલવેને રિફન્ડ ઓછું કરવું પડશે જે રેલવે માટે ફાયદાકારક છે. સાથે જ સિનિયર સિટિઝનને ટિકિટમાં છુટ આપવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.