અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં પરિણીતાએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લેતા આ મામેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી હોવાના આપેક્ષ સાથે પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ. પરિણીતાએ કયાં કારણોસર આપઘાત કર્યો તે મુદ્દે હજુ કોઇ સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું. નારોલ પોલીસે ફરિયાદ નોંધીને વધી તપાસ હાથ ધરી છે.


Surat: સુરતમાં ગેમ રમી રહેલો છોકરો 11માં માળેથી પટકાયો, આપઘાત કે અકસ્માત ? મોતનું રહસ્ય અકબંધ


સુરતમાંથી એક રહસ્યમયી મોતના સમાચાર સામે આવ્યા છે, સુરત શહેરમાં સિટીલાઇટના ક્રિસ એસ્ક્લેવમાં એક કરુણ મોતની ઘટના ઘટી છે. 14 વર્ષીય તરુણ એસ્કલેવના 11માં માળેથી નીચે પટકાયો અને તેનું મોત થઇ ગયુ હતુ, જોકે, આ આપઘાત છે કે અકસ્માત તે અંગે હજુ કોઇ ખુલાસો થયો નથી.


માહિતી છે કે સુરતમાં આવેલા સિટીલાઇટના ક્રિસ એસ્કલેવમાં એક 14 વર્ષીય તરુણ મોબાઇલમાં મશગૂલ હતો તે સમયે તે 11માં માળેથી નીચે પટકાયો હતો, આ પછી તેનું મોત થઇ ગયુ હતુ. આ 14 વર્ષીય તરુણનું નામ અયાન જ્યારે ટ્યૂશનથી ઘરે આવ્યો ત્યારે આ ઘટના ઘટી હતી. ક્રિશ એસ્કેલેવમાં રહેતા તરુણના પિતા જીગર વિદાણી જે હીરાના વેપારી છે, તે દરમિયાન કાર રિપેર કરાવવા ગયા હતા, અને ઘરે દીકરો એકલો જ હતો. આ મૃતક કિશોર હીરા ઉદ્યોગપતિ ચંદ્રકાંત સંઘવીનો દોહિત્ર છે. મૃતક ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, અને જ્યારે તે 11માં માળેથી નીચે પટકાયો તો તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી, જોકે, અયાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પીટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ મોત અંગે સુરતના ઉમરા પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ શરૂ કરી કરી હતી. 


મહત્વનું છે કે 14 વર્ષીય મૃતક અયાનનું મોત એક આપઘાત છે કે અકસ્માત તે અંગે હજુ સુધી કોઇ ખુલાસો સામે આવ્યો નથી. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે, મૃતકના મૃતદેહનું પૉસ્ટમૉર્ટમ કરવામાં આવ્યા બાદ મોતની હકીકત સામે આવી શકે છે.


એક મહિના પહેલા લગ્ન કરનારી યુવતીએ ખાધો ગળાફાંસો, ઘટનાને લઈ અનેક તર્કવિતર્ક


ડાયમંડ નગરી સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક મહિના પહેલા લગ્ન કરનારી પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. નવોઢાના હાથમાંથી હજી મહેંદીનો રંગ પણ ઉતર્યો નહોતો ત્યાં જ આવું પગલું ભરતા અનેક પ્રકારના તર્કવિતર્ક થઈ રહ્યા છે.









મહારાષ્ટ્રની 21 વર્ષીય અશ્વિની સાગર ઢિવરે નામની યુવતિના એક મહિના પહેલા સુરતના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તે સાસરે ડીંડોલી વિસ્તારમાં આવેલા મોદી એસ્ટેટ ખાતે રહેતી હતી. તેણે અગમ્ય કારણોસર જીવન ગળાફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થયા બાદ પરિવારજનોએ 108ને કોલ કર્યો હતો, 108 એ આવીને યુવતીને તપાસી મૃત જાહેર કરી હતી. જે બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. બનાવની જાણ થતા ડીંડોલી પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial