જૂનાગઢના  વિસાવદરના યુવકે ધસમસતી ટ્રેન નીચે  મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવી દીધું. આ પહેલા જ તેની પ્રેમિકાએ , બે દિવસ પહેલા  આપઘાત કર્યો હતો.


જૂનાગઢના  વિસાવદરના યુવકે ધસમસતી ટ્રેન નીચે  મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવી દીધું. આ પહેલા જ તેની પ્રેમિકાએ , બે દિવસ પહેલા  આપઘાત કર્યો હતો. જેના વિરહમાં યુવકે પણ ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું.


2 દિવસ પહેલા પ્રેમિકાના આપઘાત બાદ પ્રેમી યુવકે સતાધાર રોડ પર ફાટક નજીક ટ્રેક પર ટ્રેન હેઠળ પડતું મુક્યું હતું. અમરેલીના ખાંભા પંથકમાં પ્રેમીકાએ બે દિવસ પહેલા  આપઘાત કર્યો હતો. મૃતક યુવાનને  પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Doctor suicide case: તબીબ  અતુલ ચગના આપઘાતનો મામલો, રઘુવંશી સમાજમાં રોષ,  19 સંસ્થાઓ સંયુકત રીતે યોજી રેલી  


વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાનો મામલે સુરત સહિત દક્ષિણ ગુજરાત રઘુવંશી લુહાણા સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.  આ મુદ્દે ન્યાય મળવવવા માટે રઘુવંશ  રઘુવંશી લુહાણા સમાજની વિવિધ 19 સંસ્થાઓ ભેગી થઈ રેલી યોજશે.


 
વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાનો મામલે સુરત સહિત દક્ષિણ ગુજરાત રઘુવંશી લુહાણા સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.  આ મુદ્દે ન્યાય મળવવવા માટે રઘુવંશ  રઘુવંશી લુહાણા સમાજની વિવિધ 19 સંસ્થાઓ ભેગી થઈ રેલી યોજશે. સુરતના વનિતા વિશ્રામ થી કલેકટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, અતુલ ચંગ આત્મહત્યા મામલે  લુહાણા પરિવારે ફરિયાદ કરી છે અને તેમાં તેમાં જે રાજકીય આગેવાનોના નામો છે તેની સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગણી પણ કરી છે. તેમાં ઉલ્લેખ છે કે, વર્ષોથી રઘુવંશી લુહાણા સમાજ ભાજપની સાથે રહ્યો છે ત્યારે હવે ભાજપ પણ સમાજની સાથે રહે,


શું છે સમગ્ર ઘટના


ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે બનેલી ચકચારી ઘટનામાં ડો અતુલ ચગની આત્મહત્યાને લઈ વેરાવળ સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે રઘુવંશી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આપઘાત કરનાર ડોક્ટરની સુસાઇડ નોટ મળી આવી જે જેમાં 2 રાજકિય નેતાના નામનો પણ ઉલ્લેખે છે. જેને લઇને રાજકારણ ગરમાયું છે. આ મામલે પોલીસે પત્રકારોને આપેલી માહિતી મુજબ  જેમાં તબીબની આત્મહત્યા પાછળ તેમના આર્થિક વ્યવહારો કારણ ભૂત હોવાનું  મૃતકના પુત્રે જણાવ્યું હતું.