અમદાવાદ:ખુદને PMOના અધિકારી ગણાવતા મહાઠગ  કિરણ પટેલને ગત મોડી રાત્રે અમદાવાદ લાવવમાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો.


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે  દ્રારા ગઇઇ કાલ મોડી રાતે  કિરણ પટેલને 2.30 કલાકે ક્રાઇમ બ્રાન્ચ લવાયો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો હતો. +જમ્મુ-કશ્મીર પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ  મંત્રીના ભાઈનો બંગ્લો પચાવી પાડવાના કેસમાં  કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યા છે. 36 થી 40 કલાકની લાંબી મુસાફરી બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને અમદાવાદ લાવી છે. કિરણ પટેલની આજથી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં  પૂછપરછ થશે.


મહાઠગ કિરણ પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જમ્મુ -કાશ્મીર પોલીસ પાસેથી કસ્ટડી મેળવી લીધી છે.અમદાવાદમાં સિંધુ ભવન રોડ પરનો નીલકંઠ ગ્રીનમાં આવેલો રૂ.૧૫ કરોડનો બંગલો કિરણ પટેલ અને પત્ની માલિનીએ નકલી ડોકયુમેન્ટના આધારે પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચમાં થયેલી ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાંચે માલિનીની ધરપકડ કરી હતી. કિરણ પટેલની જમ્મુ-કાશ્મીર પોલીસે ધરપકડ કરી હતી. જેથી તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવા ક્રાઈમ બ્રાંચે તજવીજ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ રવિવારે સવારે રોડ માર્ગે કિરણને લેવા જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવી છે.


Amit Shah-Rahul Gandhi : રાહુલ ગાંધીને ગૃહમંત્રી અમિત શાહે ફેંક્યો ખુલ્લો પડકાર


Home Minister Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસીઓને ખુલ્લો પડકાર આપતાં તેમણે કહ્યું હતું કે, તમે મેદાન નક્કી કરો, ભાજપના કાર્યકરો દેશમાં ગમે ત્યાં લડવા તૈયાર છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમિત શાહ સાથે ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં અનેક વિકાસ યોજનાઓને લીલી ઝંડી દેખાડી હતી.


રાહુલ ગાંધીની સદસ્યતા અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, સુરત કોર્ટના નિર્ણય બાદ તેમની સદસ્યતા જતી રહી અને કોંગ્રેસના નેતાઓએ કાળા વસ્ત્રો પહેરીને આખી સંસદ બંધ કરી દીધી. શાહે કહ્યું હતું કે, હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે, કાયદાનું પાલન કરવું એ દરેક નાગરિકનો ધર્મ છે. તમે પણ તો સાંસદ હતા. તમે કોર્ટના નિર્ણયને પડકારો, કાયદા દ્વારા લડો પરંતુ તમે તો સંસદના સમયને બરબાદ કરી નાખ્યો. આ દેશની જનતા તમને માફ નહીં કરે.

રાહુલ ગાંધીને શાહનો પડકાર

ગૃહમંત્રીએ કહ્યું હતું કે, શું દેશના કોઈ નેતાએ વિદેશમાં જઈને ભારતની જાહેરમાં ટીકા કરવી જોઈએ? તમે ભારતમાં કેવું રાજકારણ લાવવા માંગો છો? આ દરમિયાન અમિત શાહે પડકાર ફેંક્યો અને કહ્યું કે, રાહુલ બાબા ડરે છે. જગ્યા તમે નક્કી કરો. ભારતમાં જ્યાં પણ મેદાન છે ત્યાં ભાજપના લોકો લડવા તૈયાર છે.

જનતાએ મક્કમતાથી કાદવમાં કમળ ખીલવ્યું : શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષિત બનાવ્યો છે. ગરીબોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બનાવી છે. દુનિયામાં દેશનું માન વધાર્યું છે અને આ કોંગ્રેસી લોકો કહે છે - મોદી તમારી કબર ખોદશે. અમિત શાહે વધુમાં કહ્યું કે, હું કોંગ્રેસીઓને કહેવા માંગુ છું કે, તમે મોદીજીને ગાળો આપી છે, જનતાએ આ અપશબ્દોના કાદવમાં વધુ મજબૂત બનાવીને કમળ ખવડાવ્યું છે.


અમિત શાહે શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી શાહે તેમના ભાષણમાં કહ્યું કે, "ગઈકાલે જ સંસદ સમાપ્ત થઈ. આઝાદીના ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે દેશના બજેટ સત્રની ચર્ચા કર્યા વિના સંસદ સમાપ્ત થઈ ગઈ હોય. વિપક્ષના નેતાઓએ ગૃહની કામગીરી ચાલવા દીધી ન હતી. તેનું કારણ એ છે કે, રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ આ સજાને પડકારવી જોઈએ. તમે સંસદનો સમય જ બરબાદ કરી નાખ્યો.

'લોકશાહી નહીં, પણ તમારો પરિવાર ખતરામાં છે'

ગૃહમંત્રી શાહે ગાંધી પરિવાર પર આકરા પ્રહારો યથાવત રાખતા હતું હતું કે, સોનિયા જી હોય, રાહુલ જી હોય કે કોઈ પણ હોય, મોદીજીને ગાળોના કાદવમાં કમળને મજબૂતથી ખીલવી બતાવ્યું છે. તેઓ કહે છે કે, લોકશાહી ખતરામાં છે પણ હું કહેવા માંગુ છું કે, લોકશાહી ખતરામાં નથી, પરંતુ તમારો પરિવાર ખતરામાં છે. તમે આ લોકશાહીને જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણના ત્રણ નખમાં ઘેરી લીધા હતા.