ઉમરેઠઃ આણંદના ઉમરેઠમાં ચાર દિવસ અગાઉ યુવતીનું ગળું કાપી હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ હતું કે યુવતીની હત્યા કરવાનો પ્રયાસ કોઇ અન્યએ નહી પરંતુ તેના પ્રેમીએ જ કર્યો હતો. યુવતી ગાંધીધામની રહેવાસી છે જ્યારે યુવક બનાસકાંઠાના અંબરનેસડા ગામનો રહેવાસી છે. આરોપી યુવકનું નામ રવિ રાવળ છે. યુવતી અને રવિ રાવળને કેટલાક સમયથીપ્રેમ સંબંધ હતો.


બંન્ને લોકો ફરવા માટે નીકળ્યા હતા. દરમિયાન બંને ઉમરેઠમાં ભાડાના મકાનમાં રાત્રિ દરમિયાન રોકાયા હતા. જ્યા યુવતીએ ઉછીના આપેલા 40 હજાર રૂપિયા પરત માંગતા પ્રેમી યુવક રવિ રાવળ ઉશ્કેરાયો હતો અને યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો. હાલમાં યુવતીની અમદાવાદ સિવિલમાં સારવાર ચાલી રહી છે. તો પોલીસે હુમલો કરનારને પકડવા માટે તપાસ તેજ કરી છે.


Student Suicide: શાળાના કેમ્પસમાં જ વિદ્યાર્થિનીએ ગળા ફાંસો ખાઇ કરી લીધી આત્મહત્યા


Student Suicide: રાજકોટ જિલ્લાના વિંછીયાની આદર્શ સ્કૂલના કેમ્પસમાં વિદ્યાર્થિનીએ  આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું.વિદ્યાર્થીની આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી હતી. શાળાના કેમ્પસમાં સુસાઇડ કરી લેતાં ચકચાર મચી ગઇ છે.


રાજકોટ જિલ્લાના વિંછીયાની આદર્શ સ્કૂલના કેમ્પસમાં વિદ્યાર્થિનીએ  આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું. વિદ્યાર્થીની આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી હતી. શાળાના કેમ્પસમાં સુસાઇડ કરી લેતાં ચકચાર મચી ગઇ છે. વીંછિયાની આ આદર્શ સ્કૂલ મંત્રી કુંવરજી બાવળીયાની છે. વિદ્યાર્થિનીએ વૃક્ષ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની વિગત મળી છે. વિદ્યાર્થિનીનો મૃતદેહ ઝાડ પરથી લટકતો જોવા મળ્યો હતો. ઉલ્લેનિય છે કે, આ વિદ્યાર્થિની ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીએ ક્યાં કારણે આપઘાત કર્યો  તેનું કારણ હજું અકબંધ છે.  આ ઘટના ગત રાત્રે બની હતી. વિંછીયા પોલીસે આ મામલે વધુ  તપાસ હાથ ધરી છે.


Cirme News: જમવાનું બનાવવાને લઇને ઝઘડો થતા યુવકે પરિણીત પ્રેમિકાની કરી હત્યા, પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો


રાજકોટના ગોંડલમાં યુવતીના મોત મામલે મોટો ખુલાસો થયો હતો.પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે ગોંડલમાં બોથડ પદાર્થ મારી પરિણીત પ્રેમિકાની હત્યા કરી હતી.મળતી જાણકારી અનુસાર, ગોંડલના હર પોલે સોસાયટીના યુવાને છેલ્લા આઠ માસથી સાથે રહેતી પરિણીત પ્રેમિકાને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી નાખી હતી.બંને વચ્ચે રસોઈ બનાવવા બાબતે માથાકૂટ થઈ હતી. પરિણીતી પ્રેમિકા પતિ અને બાળકોને છોડીને યુવક સાથે આઠ મહિનાથી રહેતી હતી. પતિને પેરાલિસિસનો હુમલો આવતા યુવતી પતિ અને બાળકોને છોડીને આવી હતી.


અગાઉ યુવકે પ્રેમિકા પગથિયા પરથી લપસી પડી હોવાનું કારણ જણાવ્યું હતું. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો છે. બંન્ને વચ્ચે જમવાનું બનાવવાને લઇને ઝઘડો થયો હતો. જેથી યુવકે છેલ્લા આઠ માસથી સાથે રહેતી પરિણીત પ્રેમિકાના માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા કરી હતી.