ભાવનગરઃ તળાજાના એક જ ગામના પરણીત યુવક-યુવતીએ એકબીજા વગર ન રહી શકતા અને પ્રેમસંબંધ પરિવારના સભ્યો નહીં, સ્વીકારે તેવું લાગતા બંને આપઘાત કરી લીધો છે. પરણીત યુવક-યુવતીના આપઘાતને પગલે બે પરિવાર પર આભા તૂટી પડ્યું છે. બીજી તરફ આ ઘટનાને પગલે આખા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. 


આ અંગે મળતી વિગતો પ્રમાણે, તળાજાના એક ગામમાં રહેતા 42 વર્ષીય યુવકે લગ્ન કરેલા છે અને તેમને આ લગ્નથી 6 સંતાનો છે. તેમને ગામની જ એક પરિણીત યુવતી સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. 39 વર્ષીય પ્રેમિકા પોતે પણ પરણીત છે અને લગ્નજીવનથી બે સંતાનો છે. 


આ બંને પ્રેમી યુગલ પોતાના પાટર્નરની જાણ બહાર એકાંત માણતા હતા. બંને એકબીજા વગર રહી શકતા નહોતા અને સાથે જીવવા-મરવાના કોલ પણ આપ્યા હતા. બીજી તરફ સમાજ તેમના પ્રેમને નહીં સ્વીકારે તેવો ભય પણ તેમને લાગી રહ્યો હતો. 


આમ, તેઓ એક નહીં થઈ શકે તેવું લાગતા બંને સાથે મરી જવાનો નિર્ણય કર્યો હતો અને આ બંનેએ સજોડે આપઘાત કરી લીધો હતો. આ બંનેની લાશ મળી આવી છે. બંનેના પરિવારને જાણ થતાં તેમના પર દુઃખનું આભ ફાટ્યું છે. ઘટનાસ્થળ નજીકથી બાઇક પણ મળી આવ્યું છે.