(અનુપ મિશ્રા)


UP Crime News: બરેલીમાં ત્રણ બાળકોની માતાએ તેના પ્રેમી સાથે મળીને કથિત રીતે તેના પતિની હત્યા કરી નાખી. તેના પતિની હત્યા કર્યા પછી, તેણી તેના મૃતદેહ પર રડવા લાગી જેથી કોઈ તેના પર શંકા ન કરે. જો કે,  તપાસમાં તેની સંડોવણી બહાર આવતા પોલીસે તેની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.


ઘટના સુભાષનગર પોલીસ સ્ટેશન વિસ્તારની બીડીએ કોલોનીની છે. સંજય ગુપ્તાના લગ્ન 10 વર્ષ પહેલા જ્યોતિ સાથે થયા હતા. લગ્ન પછી જ્યોતિનું અફેર અબ્બાસ નામના વ્યક્તિ સાથે શરૂ થયું. તે નવ મહિના પહેલા અબ્બાસ સાથે ભાગી ગઈ હતી. સંજયે આ અંગે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે બંનેને ઝડપી લીધા, જ્યોતિને સંજયને સોંપી અને અબ્બાસને જેલમાં મોકલી આપ્યો. થોડા દિવસ પહેલા અબ્બાસ જામીન પર બહાર આવ્યો હતો. જે બાદ જ્યોતિ સાથે તેણે મુલાકાત કરી હતી. ફોન પર ચેટિંગ અને વાતચીત શરૂ થઈ. જ્યારે સંજયને આ વાતની જાણ થઈ તો તેણે તેનો વિરોધ કર્યો.


પતિને મારી નાંખવા બનાવ્યો પ્લાન


3 જૂને જ્યારે સંજય ટેક્સી ચલાવીને ઘરે પરત ફર્યો ત્યારે જ્યોતિએ શાકભાજીમાં ઊંઘની ગોળીઓ ભેળવીને ખવડાવી હતી. જ્યારે તે ગાઢ નિંદ્રામાં સરી પડ્યો ત્યારે તેણે વોટ્સએપ પર મેસેજ કરીને અબ્બાસને ફોન કર્યો હતો.અબ્બાસ ઘરે પહોંચ્યો ત્યારે જ્યોતિએ દરવાજો ખોલ્યો હતો. ત્રણેય બાળકો ઊંઘી ગયા બાદ બંનેએ શરીર સુખ માણ્યું.  આ પછી જ્યોતિ અને અબ્બાસે ભેગા મળી સંજયનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો.  સંજય ગભરાઈને ઉભો થયો. આ પછી બંનેએ તેના પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. લોહી વહેવા લાગતા સંજય જમીન પર પડી ગયો અને તેનું મોત નીપજ્યું. સંજયના મૃત્યુ બાદ તેના જીજાજી દિનેશ ચંદ્ર ગુપ્તાએ સુભાષનગર પોલીસ સ્ટેશનમાં જ્યોતિ અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.