Crime News: અમદાવાદમાં એક શિક્ષક સામે વિદ્યાર્થિની ઉપર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. એક સગીરા પર તેના ટયુશનના શિક્ષક દ્વારા બળાત્કાર કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે સગીરાએ ટ્યુશન છોડાવી લીધા બાદ પણ શિક્ષક દ્વારા તેને પ્રેમ પત્ર લખી હેરાન કરતો હતો અને સગીરાનો પીછો કરી તેને પરેશાન કરતો હતો. જેને લઈને દાણીલીમડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાઇ છે. સગીરાના પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ ટ્યુશન શિક્ષકની ધરપકડ કરી છે. 




દાણીલીમડા ચાર રસ્તા પાસે રહેતો સુનીલ પરમાર તેના જ ઘરમાં ટ્યુશન ક્લાસિસ ચલાવતો હતો. સુનીલ પરમારના ટયુશનના આવતી એક સગીરવયની વિદ્યાર્થિની પર સુનિલે બળાત્કાર ગુજાર્યો હતો. જૂન 2022થી એપ્રિલ 2023 સુધી સગીરા સુનીલ પરમારના ટયુશનના જતી હતી. તે દરમ્યાન સુનીલ આ સગીરાને ટયુશનના સમય કરતાં વધુ સમય ઘરે રોકી રાખતો હતો.જે બાદ સગીરાને ધાક ધમકીઓ આપી તેના પર અનેક વખત બળાત્કાર પણ ગુજાર્યો હતો. 


જોકે સગીરાએ સુનીલના ટ્યુશન ક્લાસ છોડાવી લીધા બાદ પણ સુનીલ તેનો પીછો મૂકતો ન હતો અને સગીરાને લવ લેટર લખતો હતો. આ ઉપરાંત સગીરા જ્યારે ઘરેથી સ્કૂલે જાય ત્યારે પણ તેનો પીછો કરી તેને હેરાન કરતો હોવાનો આરોપ છે. એક દિવસ સુનીલ જ્યારે સગીરાનો પીછો કરી સ્કૂલ સુધી પહોચ્યો હતો ત્યારે ત્યાં અન્ય લોકોએ સુનિલને પકડ્યો હતો અને પ્રિન્સિપાલને જાણ કરી હતી. પ્રિન્સિપાલ સગીરાના માતા પિતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને સગીરાનાં પરિવારે દાણીલીમડા પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


ઉનામાં મૈત્રી કરારમાં પુરુષ પર તેના જ બે સગાભાઈએ કર્યો હુમલો


ગીર સોમનાથના ઉના નજીકના સનખડા ગામે પ્રેમ પ્રકરણ બાદ મૈત્રી કરાર બાદ દોલુભા ઝાલા નામના શખ્સપર તેમના જ બે સગા ભાઈઓ સહિત પાંચ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતા દોલુભાનું મોત નીપજતા મામલો ખુનમાં પલટાયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા.


બનાવની વિગત મુજબ, સનખડા ગામે રહેતા દોલુભા ઝાલાને મહીલા જીતુબા ઉર્ફે જીજ્ઞા કનુભાઈ ઝાલા વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને પરણીત હતા તથા બંનેને સંતાનો પણ હતા. આ પ્રેમ પ્રકરણમાં દોલુભા અને જીજ્ઞા બંને ઘરેથી ભાગી ગયા હતા. ત્યારબાદ તેઓએ મૈત્રી કરાર કર્યા હતા. મૈત્રી કરાર કર્યા બાદ તે પરત ઉના વિસ્તારમાં આવેલા ત્યારે તારીખ 12 ના રોજ દોલુભા અને જીજ્ઞા બંને ઉનાના માણેકપુર રોડ પર જતા હોય ત્યારે કોઈ પણ સમયે દોલુભા ઉપર આ પાંચ આરોપીઓ તૂટી પડ્યા હતા. જેમાં જીજ્ઞાને પણ ઇજાઓ થઈ હતી.  આ ઘટનામાં દોલુભાનું મોત થતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial