Crime News: મહેસાણાના ઉનાવામાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી છે. આ હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. ઉનાવાની સાહિલ હોટલ આગળ યુવકની  હત્યા કરવામાં આવી છે. જફરસા ઉર્ફે ઈમ્તિયાઝ નામના યુવકની હત્યા કરવામાં આવી છે.


આ હત્યા અંગે સામે આવેલી વિગતો અનુસાર ઉનાવા દરગાહના વહીવટને ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી. જે બાદ દરગાહના મુજાવાર દ્વારા યુવકની  હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. ઉનાવા ખાતે આવેલ દરગાહના વહીવટને લઈ છેલ્લાં ઘણા વર્ષોથી અદાવત ચાલતી હતી. પોલીસે 7 શખ્શો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


જૂનાગઢમાં અજાણ્યા શખ્સોએ મહિલાના ઘરમાં ઘુસી કરી હત્યા


જૂનાગઢના ઈવનગર ગામે મહિલાની હત્યા કરવામાં આવી છે. મહિલાના ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ  હત્યા કરી હતી. અજાણ્યા શખ્સોએ મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. દક્ષાબેન નામના મહિલાની હત્યાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી. જો કે, મહિલાની હત્યા કેમ કરવામાં આવી તે અંગે કોઈ માહિતી સામે આવી છે. જ્યારે આ હત્યા કરવામાં આવી ત્યારે મહિલા ઘરમાં એકલી હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.


ભુવાએ યુવતી પર બળાત્કાર ગુજારી કરી હત્યા


 અમદાવાદમાં ફિલ્મોને પણ ટક્કર મારે તેવી રીતે હત્યાને અંજામ આપવાની ઘટના પ્રકાશમાં આવી છે. 2022માં કરેલી હત્યાનો હવે ભેદ ઉકેલાયો છે. યુવતીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી. પાલડીની યુવતીને સાયલા લઈ જઈ હત્યા કરાઈ હતી.આ મમાલે સુરતના ભુવા, તેના ભાઈ મિત્રો સહિત 8ની સંડોવણી સામે આવી હતી. જે બાદ પોલીસે તમામની ધરપકડ કરી લીધી છે.


સામે આવેલી વિગતો અનુસાર સુરતના ભુવાએ જુનાગઢમાં યુવતી પર બળાત્કાર કર્યો હતો. બળાત્કારની વાત છુપાવવા યુવતીની હત્યા કરવામાં આવી હતી. જે બાદ યુવતી ફરાર થઈ ગઈ હોય તેવો ઘટનાક્રમ ઉભો કરાયો હતો. ભુવાના મિત્ર મિતની માતાને યુવતીના કપડા પહેરાવવામાં આવ્યા હતા. યુવતીના કપડા પહેરાવી માતાને પાલડીમાં ફેરવામાં આવી હતી. જેથી લોકોને એમ લાગે કે આ એજ યુવતી છે અને તે ભાગી ગઈ છે. આ ઉપરાંત અન્ય એક આરોપી સંજય પણ મહિલાના વેશમાં મૃતક સાથે ફરાર થયો હોવાનુ નાટક કર્યુ હતુ.


પોલીસે હત્યા, અપહરણ અને બળાત્કારના મામલે સુરતના ભુવાજી, તેના ભાઈ યુવરાજ, મિત્ર ગુંજન જોષી, મિત તેની માતા, મિતનો ભાઈ અને સંજય નામના આરોપીની ધરપકડ કરી છે.  મુંબઈથી પગેરૂ નીકળતા તમામની ધરપકકડ કરવામાં આવી હતી. આરોપીઓએ યુવતની હત્યા કરી મૃતદેહને સળગાવી દીધો હતો.