કચ્છઃ અંજારના ખંભરામાં ઘરને આગ લગાડી પરિવારને જીવતો સળગાવી નાખવાના મામલે પોલીસનું મોટું નિવેદન સામે આવ્યું છે. અંજારના DYSP મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, પુત્રએ ગામમાં રહેતી યુવતી જોડે કરેલ પ્રેમ લગ્નના કારણે આ બનાવ બન્યા હોવાનો પરિવારનું કહેવું છે. તેમણે કહ્યું કે, યુવકને ગામની યુવતી સાથે અફેર હતું અને પછી તેની સાથે કોર્ટ મેરેજ પણ કર્યા હતા. જોકે, પછી બંને પરિવાર વચ્ચે સમાધાન થયું હતું અને યુવતીને પરિવારને સોંપી દીધી હતી. તેમજ યુવતીના અન્ય જગ્યાએ લગ્ન પણ થઈ ગયા હતા. જોકે, પરિવારે આ મુદ્દે ઘરને આગ ચાંપી હોવાની શંકા વ્યક્ત કર્યા છે. 


આગનો બનાવ સોમવારના વહેલી સવારે બન્યો હોવાનું પોલીસનું અનુમાન છે. હાલ સમગ્ર મામલે પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું છે. FSLનો રીપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે.


અંજારના ખંભરામાં ઘરને આગ લગાડી પરિવારને જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અંજારના ખંભરા ગામે અજાણ્યા શખ્સોએ ઘરને આગ ચાંપી દેતાં અંદર સૂતી માતા અને તેના બે યુવાન પુત્રો ગંભીર રીતે દાઝી ગયાં છે. પુત્રએ ગામમાં રહેતી યુવતી જોડે કરેલા કૉર્ટ મેરેજની અદાવત ઘટના માટે જવાબદાર હોવાની શંકા દર્શાવાઈ રહી છે.


દુર્ઘટનામાં ત્રણે જણના ચહેરાં, ગરદન, પીઠ, સાથળ, બેઉ હાથ સહિતના વિવિધ અંગ દાઝી ગયાં છે. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને પ્રથમ અંજારની રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયાં છે. અજાણ્યા શખ્સ ઘરમાં પ્રવેશી આગ લગાડી પરિવારની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.


ભાડૂતી હત્યારાઓ બોલાવી પતિએ કરાવી પત્નીની હત્યા


બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ઉત્તમપુરા મલાણા ગામે પતિએ ભાડૂતી હત્યારા બોલાવી પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઉત્તમપુરા મલાણામાં ત્રણ સંતાનની જનેતાને ટૂંપો આપી હત્યા કરાતા ત્રણ બાળકો માં વિહોણા બની ગયા છે. પતિ અને સાસુએ ભાગીયાઓની મદદથી મહિલાનું ઢીમ ઢાળી દેતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ચાર આરોપીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. 


પતિ અને સાસુએ મળી કરાવી હત્યા 
પાલનપુર તાલુકાના ઉત્તમપુરા મલાણા ગામે પતિ તેમજ સાસુ મળી ભાગીયાઓની મદદથી ત્રણ સંતાનની જનેતાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી હતી અને મહિલાની હત્યાને આત્મહત્યામાં ખુપાવવાનો પ્રયાસ કર્યો હતો. 


આ  મામલે મૃતકના ભાઈએ તેના બનેવી તેમજ મૃતકની સાસુ અને ત્રણ ભાગીયા સહીત પાંચ વ્યક્તિ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરાવતા પોલીસે ચાર આરોપીને ઝડપી પાડયા છે.પોલીસે મૃતક મહિલાના પતિ અને તેના હત્યારાના રિમાન્ડ મેળવી અને કયા કારણોસર હત્યા કરાવી છે તેની તપાસ હાથ ધરી છે









 


ભાગિયાઓની મદદથી ગળે ટુંપો દઈ કરી હત્યા 
પાલનપુર તાલુકાના મલાણા ગામના દેવજીભાઈ નરસુંગભાઈ ચૌધરી ની બહેન ગીતાબેનના લગ્ન ઉત્તમપુરા મલાણાના ગામના માનજીભાઈ ભીખાભાઇ ફોફ સાથે કરેલા હતા. આ પરણીતાને ત્રણ સંતાન હતા, પરતું મનજીભાઈ પોતાની પત્નીને યેનકેન પ્રકારે શારીરિક અને માનસિક ત્રાસ ગુજરાતા હતા. દરમિયાન ગત તા.22 ઓગષ્ટના રોજ ગીતાબેન ફોફને તેમના પતિ મનજીભાઈ ભીખાભાઇ ફોફ અને સાસુ સંતોકબેન ભીખાભાઇ ફોફ એ તેમના ભાગીયા છોટારામ કાળુજી ડાભી રહે. ઘાઘુ તા.અમીરગઢ, ભીમાભાઈ પૂનાભાઈ પરમાર રહે.દલાપુરા જી.પિંડવાડા અને વિશનારામ પરમાર રહે. હિલવાની મદદથી ગળે ટૂંપો આપી મોત નીપજાવ્યું હતું.


મૃતકના શરીર પર ઇજાના નિશાનથી ભાંડો ફૂટ્યો 
મામલે મૃતક ગીતાબેનના ભાઈ દેવજીભાઈ ચૌધરીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે પોતાની બહેન ને ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાની પોતાના બનેવી સહિત પાંચ વ્યક્તિ સામે ગુનો દાખલ કરાવ્યો હતો મૃતકના શરીર પર ઇજાના નિશાનથી હત્યા કરાઈ હોવાનું માલૂમ પડ્યું હતું ઉત્તમપુરા મલાણાની ગીતાબેનનું ટૂંપો આપવાથી મોત થતા તેના પતિએ બનાવ અંગે તેમના સાસરીપક્ષમાં જાણ કરતા તેમના સાળા દોડી આવ્યા હતા અને મૃતકના ગળા તેમજ શરીરના ભાગે ઇજાના નિશાન જણાઈ આવતા મૃતકની હત્યા કરાઈ હોવાનું  જણાઇ આવતા ફરિયાદ કરાઇ હતી.