Maharashtra BJP Leader Sana Khan Case:  મહારાષ્ટ્ર બીજેપી મહિલા નેતા સના ખાનની હત્યાનો ખુલાસો થયો છે. સનાની હત્યા તેના પતિ અમિત ઉર્ફે પપ્પુ સાહુએ કરી હતી. મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાની પોલીસ અને મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાની પોલીસે સંયુક્ત ઓપરેશનમાં આ વાતનો ખુલાસો કર્યો છે. આરોપી પપ્પુની ધરપકડ કરવામાં આવી છે.


પોલીસે દાવો કર્યો છે કે સનાની હત્યા કર્યા બાદ તેના પતિએ તેનો મૃતદેહ નદીમાં ફેંકી દીધો હતો. સના અમિતને મળવા માટે નાગપુરથી મધ્યપ્રદેશના જબલપુર ગઈ હતી. તે ત્યાંથી બે દિવસમાં પરત આવવાની હતી પરંતુ તે પાછી આવી જ નહી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તપાસમાં આ વાત સામે આવી છે.


દારૂની હેરાફેરી અને ઢાબાના પૈસાથી હત્યાને અંજામ આપ્યો હતો


પોલીસે જણાવ્યું કે આ વખતે જ્યારે સના અહીં અમિતને મળવા આવી ત્યારે  તેના પતિ સાથે ઝઘડો થયો હતો. લડાઈ પાછળનું કારણ પૈસા હતું. પોલીસે દાવો કર્યો હતો કે અમિત નાગપુર-જબલપુર હાઈવે પર ઢાબા ચલાવે છે. આ ઢાબામાં તે દારૂની હેરાફેરી પણ કરતો હતો, જેના માટે તેની સામે કેસ પણ હતા.


શું કોઈ ત્રીજું સામેલ છે?


પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન અમિતે પોલીસને જણાવ્યું કે તેણે પહેલા સીમાને ઘરમાં માર માર્યો અને પછી તેની હત્યા કરી. તેના મૃતદેહને છુપાવવા માટે, તે તેને જબલપુરથી 45 કિમી દૂર લઈ ગયો, જ્યાં તેણે તેને હિરણ નદીમાં ડુબાડી દીધો.


ઘટનાનો ક્રાઈમ સીન થશે રિક્રિએટ


આ સમગ્ર ઘટનાને અંજામ આપવા માટે અમિતે એક વ્યક્તિની મદદ પણ લીધી હતી. પોલીસે તે વ્યક્તિને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઉપરાંત પોલીસ હત્યાની આ સમગ્ર ઘટનાનો ક્રાઈમ સીન રિક્રિએટ કરવા જઈ રહી છે જેથી તે પુરાવા એકત્ર કરી શકે.


આ પણ વાંચોઃ


Shani Dev: આજે છે અધિક શ્રાવણનો અંતિમ શનિવાર, જાણો શનિદેવને પ્રસન્ન કરવાના 5 ઉપાય


Jobs 2023: સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે અહીં નીકળી ભરતી, જાણો અંતિમ તારીખ અને ફટાફટ કરો અરજી


Coronavirus: વિશ્વમાં કોરોનાના નવા વેરિયેન્ટ EG-5થી ફરી કેસોમાં મોટો વધારો, જાણો WHO એ શું આપી ચેતવણી