Crime News: દાહોદમાં લોહીના સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જે ભત્રીજાએ ઘડપણમાં દાદાની લાકડી બનવું જોઈએ તેના બદલે ભત્રીજાએ દાદાની હત્યા કરી નાખતા અરેરાટી મચી છે. આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, ભત્રીજાએ દાદાને ચા બનાવાનું કહ્યું હતું પરંતુ દાદાએ ચા બનાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા ભત્રીજાએ દાદાની હત્યા કરી નાખી હતી.




ભત્રીજાએ દાદાને માથાના ભાગે લોખંડનો સળિયો મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. દાહોદના ટાઢાગોળા ગામે આ હત્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે. હત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


અમરેલીમાં વિધર્મી યુવકે મનોરોગી મહિલા પર દુષ્કર્મ આચરતા ખળભળાટ


અમરેલી જિલ્લા બગસરાના એક ગામે વિધર્મી વ્યક્તિએ મનોરોગી મહિલા પર દુષ્કર્મ ગુજરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. માનસિક અસ્થિર મગજની મહિલા ઉપર વિધર્મી વ્યક્તિએ બળાત્કાર ગુજારતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મનોરોગી મહિલા ઘરે એકલી હોવાથી એકલતાનો લાભ લઈને દિવાલ કુદીને વિધર્મી વ્યક્તિ ઘરમાં ઘુસ્યો હતો અને મહિલાને હવસનો શિકાર બનાવી હતી. 


વિધર્મી વ્યક્તિ ઇસુફ સિપાઈ સુડાવડ ગામના સામે બગસરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 35 વર્ષની મનોરોગી મહિલા ઉપર વિધર્મીએ દુષ્કર્મ આચરતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. બગસરા પોલીસ સ્ટેશને વીએચપી, બજરંગ દળ, આરએસએસ તેમજ વિવિધ આગેવાનો અને કાર્યકર્તાઓના ટોળેટોળા એકઠા થયા હતા. હાલમાં આ મામલે બગસરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


ખેડાના નડિયાદ તાલુકામાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ છે. નાનાવગા ગામમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સગીરા ખેતરમાં ઘાસચારો લેવા ગઈ હતી ત્યારે તેમની સાથે બળજબરી કરવામાં આવી હતી.  ભુરાભાઈ ભોજાણી નામનો શખ્સ સગીરાને લલચાવી ફોસલાવી લઈ ગયો અને બાદમાં હવસનો શિકાર બનાવી. સગીરાની મરજી વિરુદ્ધ બળાત્કાર કરતા નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ છે. સગીરા પર દુષ્કર્મની ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા કરવાની માગ કરવામાં આવી છે.