Crime News: રાજકોટ જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વિગતે વાત કરીએ તો, જેતપુરમાં પાલક(સાવકા )પિતાએ નાબાલિક  સગીરા પુત્રી ઉપર દુષ્કર્મ આચરતા ચકચારમ મચી જવા પામી છે. રાત્રીના સમયે એકલતાનો લાભ લઈ પાલક (સાવકા ) પિતાએ પુત્રીને હવસનો શિકાર બનાવી હતી.


સગીર બાર વર્ષની દીકરીએ માતાને સમગ્ર બનાવની જાણ કરતા માતાએ જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ જેતપુર પોલીસે પાલક  પિતા ઉપર પોક્સો -દુષ્કર્મની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ બનાવને પગલે આરોપી પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. 


ડાયમંડ નગરી સુરતમાં ફરી હત્યાનો બનાવ સામે આવ્યો છે. સૂરત શહેરના અઠવા વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા અરેરાટી મચી ગઈ છે. પિન્ટુ નવસારીવાલા નામના વ્યક્તિની જાહેરમાં હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સૂર્યા મરાઠી ગેંગના સંભ્યએ હત્યાને અંજામ આપ્યો હોવાનું અનુમાન છે.


6 જેટલા ચપ્પુના ઘા ઝીંકી  યુવકની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે હત્યારાઓએ યુવકને જૂની અદાવતની પતાવટ માટે ફોન કરી બોલાવ્યો હતો. એવી પણ વાત સામે આવી છે કે,  હત્યારાઓ અને મૃતક ક્રિકેટના સટ્ટા સાથે પણ જોડાયેલા હતા. હાલમાં ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


હત્યાની જાણ ઉમરા પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતક યુવક પીન્ટુ નવસારીવાલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. તો બીજી તરફ એવું જાણવા મળ્યું હતું કે, પીન્ટુ નવસારીવાળાની હત્યા રૂપિયાની લેતીદેતીમાં કરવામાં આવી છે. જેમાં તેમના જ મિત્રો વચ્ચે પૈસાની લેતીદેતીમાં અણબનાવ બનતા મામલો ઉગ્ર બન્યો હતો, જેમાં છરીના ઘા ઝિંકી યુવકની હત્યા કરવામાં આવી છે.


આ પણ વાંચો


Surat Crime: પતિ જોબ પર ગયો અને પાછળથી પત્નીએ 4 વર્ષની માસૂમ બાળકી સામે ભર્યું આવું ઘાતક પગલું


Crime :BJP નેતા રણજીત શ્રીનિવાસન હત્યા કેસ, કેરળ કોર્ટે 15 PFI આતંકવાદીઓને ફટકારી મોતની સજા


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial