Gandhinagar: ધોરણ 10 ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પૂરક પરીક્ષાનું પરિણામ 26.65 ટકા જાહેર થયું છે. પૂરક પરીક્ષામાં કુલ 180158 વિદ્યાર્ઓ નંધાયા હતા. જેમાંથી 153394 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી 40880 પરીક્ષાર્થીઓ પાસ થતાં ધો. 10 એસએસસી જુલાઈ પુરક 2023 પરીક્ષાનું પરિણામ 26.65 ટકા આવ્યું છે.


વિદ્યાર્થીનીઓએ મારી બાજી


ડીફરન્ટલી એબલ્ડ વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. 20 પાસિંગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર  મેળવવાને પાત્ર પરીક્ષાર્થીની સંખ્યા 147 છે. વિદ્યાર્થીઓનું પ્રમાણ 25.09 ટકા, વિદ્યાર્થીનીઓનું પ્રમાણ 28.88 ટકા છે.


 સંસ્કૃત પ્રથમમાં કુલ 39 ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 33 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 28 પાસ થયા છે. સ્ટાન્ડર્ડ ગણિત વિષયકમાં પૃથ્થક ઉમેદવાર તરીકે 4818 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 4538 ઉમેદવારો હાજર રહ્યા હતા.  પરિણામ જાહેર થતાં પાસ થનાર વિદ્યાર્થીઓના આગળ અભ્યાસ કરી શકશે. પરિણામ આવ્યા બાદ એક અઠવાડિયામાં વિદ્યાર્થીઓને માર્કશીટ પણ સ્કૂલમાંથી આપવામાં આવશે.




કેવી રીતે જાણી શકાય છે પરિણામ


પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે બોર્ડ દ્વારા વેબસાઈટની સાથે સાથે મોબાઈ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકશો. તેમજ વોટ્સઅપ નંબર 6357300971 પરથી પણ પરિણામ જાણી શકાશે. 


ક્યારે યોજાઈ હતી પરીક્ષા


ધોરણ-10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથ સામાન્ય પ્રવાહ, ઉ.ઉ બુનિયાદી પ્રવાહ, વ્યવસાયીલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની જુલાઈ (પૂરક) 2023ની પરીક્ષા તા.10થી 14/07/2023 દરિમયાન લેવામાં આવી હતી. પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મુકવામાં આવ્યો હતો. જેની વાલીઓએ તથા શાળાના આચાર્યઓએ નોંધ લેવી તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.   


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ-2023માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જુલાઈ માસમાં લેવાયેલી આ પરીક્ષાનું પરિણામ 23.86% જાહેર થયું હતું. પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થી આ વર્ષે જ કોલેજમાં વિવિધ વિદ્યા શાખાઓમાં પ્રવેશ મેળવી શકશે અને વર્ષ બગડતું અટકશે.        


આ પણ વાંચોઃ


પ્રગતિમાં આવતા અવરોધોને દૂર કરો છે એલોવેરા, લગાવતાં પહેલા જાણી લો આ નિયમ


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial


Education Loan Information:

Calculate Education Loan EMI