Govt Job: પોલીસ વિભાગમાં 13,591 જગ્યાઓ પર ભરતીની જાહેરાત, કેવી રીતે ક્યાંથી કરી શકાશે અરજી ?
Police Recruitment: ગુજરાત પોલીસ ભરતી બોર્ડે શુક્રવારે પોલીસ વિભાગમાં વર્ગ-3 કેડર હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરમાં કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી હતી

Gujarat Police Recruitment News: ગુજરાતમાં પોલીસ વિભાગમાં નોકરી ઇચ્છુક ઉમેદવારો માટે ખુશખબરી છે, પોલીસ ભરતી બોર્ડે સત્તાવાર રીતે પોલીસ વિભાગમાં 13 હજારથી વધુ જગ્યા ભરતીની જાહેરાત કરી દીધી છે. જે અંતર્ગત પીએસઆઇ અને લોકરક્ષક માટે નૉટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે.
તાજેતરમાં જ ગુજરાતમાં પોલીસ વિભાગમાં 13 હજારથી વધુ પદો પર ભરતી બહાર પડી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે શુક્રવારે પોલીસ વિભાગમાં વર્ગ-3 કેડર હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરમાં કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી હતી. આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજીઓ 3 ડિસેમ્બર, 2025 થી OJAS પોર્ટલ પર શરૂ થશે.
પોલીસ વિભાગમાં ભરતીની ડિટેલ્સ -
PSI કેડર – કુલ 858 જગ્યાઓ
નિઃશસ્ત્ર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર – 659
સશસ્ત્ર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર – 129
જેલર ગ્રુપ 2 – 70
લોકરક્ષક કેડર – કુલ 12,733 જગ્યાઓ
નિઃશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ: 6942
સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ: 2458
સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ (SRPF): 3002
જેલ કોન્સ્ટેબલ (પુરુષ): 300
જેલ કોન્સ્ટેબલ (મહિલા/મેટ્રોન): 31
કેવી રીતે અરજી કરવી?
અરજી કરવા માટે, ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in ની મુલાકાત લો.
અરજીઓ 3/12/2025 ના રોજ બપોરે 2 વાગ્યે ખુલશે.
અરજી કરવાની છેલ્લી તારીખ: 23/12/2025 રાત્રે 11:59 વાગ્યા સુધી.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં યોજાયેલા આ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવા અને વહીવટી તંત્રને વધુ મજબૂત કરવાના મિશનનો એક ભાગ છે.
ઇન્ડિયન રેલવે ભરતીઃ રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી
રેલ્વેમાં સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા લાખો યુવાનો માટે સારા સમાચાર છે. ઉત્તર રેલ્વેએ નવા સત્ર માટે 4,000 થી વધુ એપ્રેન્ટિસ પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ભરતી પ્રક્રિયા એવા ઉમેદવારો માટે સુવર્ણ તક માનવામાં આવે છે જેઓ રેલ્વેમાં કારકિર્દી બનાવવા માંગે છે અને લાંબા સમયથી મોટી ભરતીની રાહ જોઈ રહ્યા છે. નોંધપાત્ર રીતે, આ પદો માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. તેના બદલે, પસંદગી 10મા ધોરણ અને ITI સ્કોર્સના આધારે કરવામાં આવશે. મજબૂત મેરિટ પસંદગીની શક્યતાઓમાં વધારો કરશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 25 નવેમ્બરથી શરૂ થશે અને 24 ડિસેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ, rrcnr.org ની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે.
કયા ઝોનમાં કેટલી જગ્યાઓ ખાલી છે ?
RRC ઉત્તર રેલ્વેએ કુલ 4,116 જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આમાં લખનૌ ઝોનમાં 1,397 જગ્યાઓ, દિલ્હીમાં 1,137 જગ્યાઓ, ફિરોઝપુરમાં 632 જગ્યાઓ, અંબાલામાં 934 જગ્યાઓ અને મુરાદાબાદમાં 16 જગ્યાઓનો સમાવેશ થાય છે. ફિટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર અને સુથાર સહિત વિવિધ ટ્રેડમાં આ જગ્યાઓ માટે એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવશે. ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 50% ગુણ સાથે 10મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ. NCVT/SCVT-મંજૂર સંસ્થામાંથી સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર પણ જરૂરી છે. અરજદારોની ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત શ્રેણીઓને પણ વયમાં છૂટછાટ મળશે.
Education Loan Information:
Calculate Education Loan EMI





















