C-DAC Jobs 2022: સેન્ટર ફૉર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કૉમ્પ્યૂટિંગ (C-DAC) એ એક નૉટિફિકેશન બહાર પાડ્યુ છે, જે અનુસાર સી-ડેકમાં 9 પદો પર ભરતી કરવામાં આવશે. જે માટે ઉમેદવાર અધિકારિક સાઇટ careers.cdac.in પર જઇને અરજી કરી શકે છે. ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 7 નવેમ્બર રાખવામાં આવી છે.


આટલી જગ્યાઓ છે ખાલી - 
આ ભરતી અભિયાન નોઇડામાં સ્થિત ડેટા સેન્ટર અને સૂચના સેવા, શિક્ષણ અને પ્રશિક્ષણ અને એમ્બેડેટ સિસ્ટમ ગૃપોમાં ટેકનિકલ આસિસ્ટન્ટના 9 પદો પર ભરતી કરશે. 


યોગ્યતા - 
નૉટિફિકેશન અનુસાર, ઉમેદવારોને કોઇપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય કે સંસ્થામાંથી કૉમ્પ્યૂટર વિજ્ઞાન/ ઇલેક્ટ્રૉનિક્સ/ આઇટી/ કૉમ્પ્યૂટર અનુપ્રયોગો વગેરેમાં કમ સે કમ 60% પૉઇન્ટની સાથે બીઇ/ B.Tech કે તેની સમકક્ષ પાઠ્યક્રમ પાસ થયેલા હોવા જોઇએ. આની સાથે જ સંબંધિત કાર્યમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઇએ.  


વયમર્યાદા - 
અરજીકર્તાની ઉંમર 35 વર્ષથી વધુ ના હોવીો જોઇએ. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમાનુસાર, વધુમાં વધુ ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે.  


કેવી રીતે થશે પસંદગી - 
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધાર પર કરવામાં આવશે. 


લેખિત પરીક્ષા પેટર્ન - 
આ પરીક્ષા કુલ 150 માર્ક્સની હશે, અને 120 મિનીટની હશે,  માર્ક્સની વિભાગવાર ડિટેલ આ પ્રમાણ છે. 


લૉઝિકલ રીઝનિંગ સેક્શનમાં 25 માર્ક્સ
સામાન્ય જ્ઞાનમાં 25 માર્ક્સ
અંગ્રેજી ભાષામાં 25 માર્ક્સ 
સંખ્યાત્મક ક્ષમતામાં 25 માર્ક્સ
ડૉમેન નૉલેજ સેક્શનમાં 50 માર્ક્સ 


પગાર ધોરણ - 
પદ માટે પસંદગી થયેલા ઉમેદવારોને 35,400 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર આપવામાં આવશે. 


કઇ રીતે કરશો એપ્લાય - 
ભરતી માટે અરજી કરવા ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર 7 નવેમ્બર, 2022 સુધી અધિકારિક સાઇટ careers.cdac.in પર જઇને એપ્લીકેશન ફોર્મ સબમીટ કરી દે. અંતમાં ઉમેદવાર અરજીપત્રને જરૂરી ડૉક્યૂમેન્ટની સાથે તે સ્થાપના અધિકારી ભરતી-V સેન્ટ્રલ કૉમ્પલેક્ષ, બાર્ક, ટ્રૉમ્બે, મુંબઇ-400085 ના એડ્રેસ પર મોકલી દે. 


 


Indian Army Religious Teacher 2022: આર્મીમાં પંડિત, મૌલવી અને પાદરી ધર્મ ગુરુ માટે જગ્યા બહાર પડી, જાણો યોગ્યતા અને કોણ કરી શકે છે અરજી -


Indian Army JCO Religious Teacher 2022: જો તમે ભારતીય સેનામાં ધાર્મિક શિક્ષક તરીકે નોકરી કરવા માંગો છો, તો આ સમાચાર તમારા કામના છે. ભારતીય સેનામાં જુનિયર કમિશન્ડ ઓફિસર બનવા માટે જગ્યા ખાલી છે. ભારતીય સેનામાં ધાર્મિક શિક્ષકની જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની સૂચના જારી કરવામાં આવી છે. આ ખાલી જગ્યા દ્વારા ભારતીય સેનામાં પંડિત, મૌલવી અને પાદરી જેવી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.


રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજીઓ માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 128 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 6 નવેમ્બર 2022 છે.


મહત્વપૂર્ણ તારીખો


JCO RT ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ - 8 ઓક્ટોબર 2022









ખાલી જગ્યાની વિગતો જાણો


પંડિત - 108


ગોરખા રેજિમેન્ટ માટે પંડિત (ગોરખા) - 5


ગ્રંથિ - 8


મૌલવી (સુન્ની) - 3


લદ્દાખ સ્કાઉટ્સ માટે મૌલવી (શિયા) - 1


પાદરી - 2


લદ્દાખ સ્કાઉટ્સ માટે બોધ ભિક્ષુ (મહાયાન) - 1


શૈક્ષણિક લાયકાત જાણો


ધર્મ શિક્ષક (પંડિત) ઉમેદવારો માટે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પાસ કરેલ હોવી જોઈએ. ઉમેદવારો હિંદુ ધર્મના હોવા જોઈએ અને સંસ્કૃતમાં આચાર્ય અથવા સંસ્કૃતમાં આચાર્ય હોવા સાથે ધાર્મિક વિધિઓમાં એક વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ.


ગ્રંથી માટે- સ્નાતક અને પંજાબી અને સંબંધિત ધર્મનું જ્ઞાન હોવું જોઈએ.


મૌલવી માટે- મૌલવી સુન્ની પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે અરબીમાં અલીમ અથવા ઉર્દૂમાં અદીબ-એ-માહિર/ઉર્દૂ માસ્ટર હોવો જોઈએ.


ઉંમર મર્યાદા જાણો


ધાર્મિક શિક્ષકની જગ્યાઓ પર ભરતી માટે, ઉમેદવારની ઉંમર 1 ઓક્ટોબર 2022 ના રોજ 25 વર્ષથી ઓછી અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ.


Education Loan Information:

Calculate Education Loan EMI