21 જૂને યોજાનારી NEET-UG ફરીથી પરીક્ષા પહેલા ટેલિગ્રામે તેના પ્લેટફોર્મને અસ્થાયી રૂપે બ્લોક કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટ બુધવારે આ મામલાની સુનાવણી કરશે. જસ્ટિસ તેજસ કરિયાની બેન્ચ સમક્ષ ટેલિગ્રામ દ્વારા આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહે જણાવ્યું હતું કે NEET પરીક્ષા સંબંધિત છેતરપિંડી અને પેપર લીકને લગતી ખોટી માહિતીને રોકવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવો પડ્યો હતો.

Continues below advertisement

એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં અભિષેક સિંહે જણાવ્યું હતું કે, "અમારે આ કડક પગલું ભરવું પડ્યું કારણ કે કૌભાંડીઓ અને છેતરપિંડી કરનારાઓ ટેલિગ્રામ પ્લેટફોર્મનો સતત દુરુપયોગ કરી રહ્યા હતા. તેઓ આગામી NEET પરીક્ષાના વાસ્તવિક પ્રશ્નપત્રો હોવાનો દાવો કરીને નકલી પ્રશ્નપત્રો ફેલાવી રહ્યા હતા અને વિદ્યાર્થીઓ પાસેથી તેમની ચિંતાનો લાભ લઈને પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા."

Continues below advertisement

આ માટે NTA એ ટેલિગ્રામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને NEET પરીક્ષાનું પેપર લીક થયાનો સ્પષ્ટપણે દાવો કરતા ગ્રુપ્સ અને ચેનલોને બ્લોક કરવાની વિનંતી કરી હતી. આ પ્રયાસના ભાગ રૂપે 200થી વધુ ચેનલોને બ્લોક કરવામાં આવી હતી. દરમિયાન મેસેજિંગ એપના સ્થાપક અને સીઈઓ પાવેલ દુરોવે એક્સ પર લખ્યું  હતું કે, "ભારતના આઈટી મંત્રાલયે ટેલિગ્રામ પર એક અઠવાડિયા માટે પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે કેટલાક યુઝર્સ લીક થયેલા પરીક્ષાના પ્રશ્નો શેર કર્યા હતા. આનાથી ભારતમાં 150 મિલિયનથી વધુ સામાન્ય ટેલિગ્રામ યુઝર્સને સજા થઈ રહી છે, પરીક્ષા સામગ્રી લીક કરનારાઓને નહીં. આ પ્રતિબંધથી કંઈ થયું નહીં. લીક્સ ફક્ત અન્ય એપ્લિકેશનોમાં ફેલાઈ ગયા." 

નોંધનીય છે કે પેપર લીક થયા પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 3 મેના રોજ યોજાયેલી NEET પરીક્ષા રદ કરી હતી. અત્યાર સુધીમાં CBI એ પેપર લીક કેસમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે અને બધા તિહાડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

વાસ્તવમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં 21 જૂને યોજાનારી NEET UG રી-ટેસ્ટ પહેલા ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. સરકારનું માનવું હતું કે પ્રશ્નપત્રો અને અન્ય સંવેદનશીલ સામગ્રી સહિત પરીક્ષા સંબંધિત ગુપ્ત માહિતી લીક થવાની સંભાવનાને કારણે આ પગલું જરૂરી હતું. ટેલિગ્રામે સરકારના આ નિર્ણય સામે કોર્ટમાં અપીલ કરી છે. કંપનીનો દલીલ છે કે આ પ્રતિબંધ ગેરવાજબી છે અને લાખો કાયદેસર યુઝર્સને અસર કરી રહ્યો છે. તેથી આ નિર્ણયની ન્યાયિક સમીક્ષા થવી જોઈએ.


Education Loan Information:

Calculate Education Loan EMI