મમતા બેનર્જીએ દક્ષિણ પરગના જિલ્લાના બસંતી વિસ્તારમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું કે, “હું કેન્દ્રીય દળોનું અપમાન નથી કરી રહી, પણ તેમને મતદારોને પ્રભાવિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળોની નિયુક્તિ કરવાના નામ પર બીજેપી જબસદસ્તીથી આરએસએસ અને બીજેપી કાર્યકર્તાઓને અહીં મોકલી રહી છે.’’
વધુમાં કહ્યું કે, “મને શક છે કે આરએસએસ કાર્યકર્તાઓને (કેન્દ્રીય દળોની) વર્દીમાં પશ્ચિમ બંગાળમાં મોકલવામાં આવી રહ્યાં છે.”
મમતાએ કહ્યું કે, ભવિષ્યમાં દિવસ આવશે જ્યારે હું એક એક ઇંચનો બદલો લઇશ, હત્યા કરીને નહીં પણ તેની કિંમત તેમને ચૂકવવી પડશે. તમે અનેકવાર મને અને બંગાળને બદનામ કર્યુ છે.