Rahul Gandhi On Ayodhya: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલી લોકસભા સીટ પરથી જંગી જીત મેળવી છે. આ જીત બાદ રાહુલ ગાંધી આભાર સભાને સંબોધિત કરવા મંગળવારે (11 જૂન) રાયબરેલી પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલે અયોધ્યામાં ભાજપની હારનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું - અયોધ્યા બેઠક હારી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ. તમે તેના ઉદ્ઘાટન સમયે ગરીબ માણસને જોયો ન હતો. તેથી જ અયોધ્યાની જનતાએ પ્રતિક્રિયા આપી છે.

Continues below advertisement

રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું. એકપણ ગરીબ વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ઉદ્ઘાટનમાં એકપણ ખેડૂત, એક મજૂર, એક પછાત, એક દલિત જોવા મળ્યો ન હતો. આદિવાસી પ્રમુખને કહેવામાં આવ્યું કે તે આમાં આવી શકે નહીં. તમે જોયું જ હશે કે અદાણી, અંબાણી ઊભા હતા, ઉદ્યોગપતિ ઊભા હતા, આખું બૉલીવુડ ઊભું હતું. ક્રિકેટની ટીમો ઊભી હતી, પરંતુ એક પણ ગરીબ ન હતો, તો અયોધ્યાની જનતાએ જવાબ આપ્યો છે.

વારાણસીથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડતી તો હારી જતા મોદી- રાહુલ ગાંધીરાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જો પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડી હોત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે-ત્રણ લાખ મતોથી હારી ગયા હોત. રાહુલે કહ્યું, "ભારતે આ ચૂંટણીમાં સંદેશો આપ્યો છે કે અમને નરેન્દ્ર મોદીજીનું 'વિઝન' પસંદ નથી. અમને નફરત નથી જોઈતી, હિંસા નથી જોઈતી. આપણને પ્રેમની દુકાન જોઈએ છે. દેશ માટે એક નવા 'વિઝન'ની જરૂર છે. જો દેશને નવું 'વિઝન' આપવું હોય તો ઉત્તરપ્રદેશમાંથી જ આપવું પડશે અને ઉત્તરપ્રદેશે એવો સંદેશ આપ્યો છે કે રાજ્ય અને દેશમાં અમને ઇન્ડિયા ગઠબંધન, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ જોઈએ છે.

Continues below advertisement

અયોધ્યા બેઠક પર ભાજપની હારનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે, અયોધ્યાની જનતાએ જવાબ આપી દીધો છે. અયોધ્યામાં જ નહીં, વારાણસીમાં પણ વડાપ્રધાન પોતાનો જીવ બચાવીને નીકળ્યા છે. હું મારી બહેન (પ્રિયંકા વાડ્રા)ને કહું છું કે જો તે વારાણસીમાંથી ચૂંટણી લડી હોત તો આજે વડાપ્રધાન વારાણસીની ચૂંટણી બે-ત્રણ લાખ મતોથી હારી ગયા હોત.

તેમણે કહ્યું, "હું આ અહંકારથી નથી કહી રહ્યો, પરંતુ કારણ કે જનતાએ વડાપ્રધાનને સંદેશ આપ્યો છે કે અમને તેમની રાજનીતિ પસંદ નથી. અમે વિકાસ ઈચ્છીએ છીએ." તમે આ દેશમાં 10 વર્ષથી બેરોજગારી, નફરત અને હિંસા ફેલાવી. જનતાએ વડાપ્રધાનને જવાબ આપ્યો છે.