Film controversy:સાઉથ ઈન્ડસ્ટ્રીમાં લેડી સુપરસ્ટાર તરીકે ફેમસ અને શાહરૂખ ખાનની ફિલ્મ જવાનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર નયનતારાની મુશ્કેલીઓમાં વધારો થવા જઈ રહ્યો છે. તેમના પર OTT ફિલ્મ "અન્નપૂર્ણિ" દ્વારા ભગવાન શ્રી રામનું અપમાન કરવા અને હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપમાં જબલપુરમાં તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.


 તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં એક હિંદુ સંગઠન દ્વારા ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને મુખ્ય અભિનેત્રી નયનથારા સહિત સમગ્ર સ્ટારકાસ્ટ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.


હિન્દુ સંગઠને કયા દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો?



  • ફિલ્મ ‘અન્નપૂર્ણિ’માં બિરયાની બનાવતા પહેલા મંદિરના પૂજારીની પુત્રી હિજાબ પહેરીને નમાઝ પઢે છે.

  • ફિલ્મમાં, અભિનેત્રીના મિત્રએ તેનું માંસ કાપવા માટે તેનું બ્રેઈનવોશ કર્યું, કારણ કે તે કહે છે કે ભગવાન શ્રી રામ અને માતા સીતાએ પણ માંસ ખાધું હતું.

  • ફિલ્મમાં અભિનેત્રી મંદિરમાં નથી જતી પરંતુ રમઝાન દરમિયાન ઈફ્તાર માટે જાય છે.

  • ફિલ્મમાં જ્યારે દીકરીના  પિતા આરતી કરી રહ્યા છે, ત્યારે તેમની દીકરી તેને નોન-વેજ ખવડાવતી હોય તેવા  દ્રશ્યો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે.

  • ફિલ્મમાં અભિનેત્રીના પિતા મંદિરના મુખ્ય પૂજારી છે, પરંતુ પુત્રી ચિકન રાંધે છે.

  •  હિંદુ પૂજારીની દીકરી મુસ્લિમ યુવકના  પ્રેમમાં પડે છે

  •  ફિલ્મમાં મુસ્લિમ યુવક કહી રહ્યો છે કે, ભગવાન  રામ, માતા સીતા અને ભગવાન લક્ષ્મણ, શિવ માંસ ખાતા હતા.  ઉલ્લેખનિય છે કે, હિન્દુ સંગઠન દ્વારા આ તમામ વાંધાજનક દ્રશ્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે.


કોના પર કેસ નોંધાયો?


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિંદુ સેવા પરિષદે ફિલ્મને હિંદુ વિરોધી ગણાવીને મંગળવારે જબલપુર પોલીસ સ્ટેશન ઓમતીમાં સ્ટાર કાસ્ટ સહિત નિર્માતા-નિર્દેશક વિરુદ્ધ FIR નોંધાવી છે. જેમાં ફિલ્મના દિગ્દર્શક નિલેશ કૃષ્ણા, નિર્માતા જતીન સેઠી, આર રવિન્દ્રન, પુનિત ગોઇકા, અભિનેત્રી નયનથારા, સારિક પટેલ અને મોનિકા શેરગીલ સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.


કોની સામે નોંધાયો  કેસ?


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિંદુ સેવા પરિષદે ફિલ્મને હિંદુ વિરોધી ગણાવીને મંગળવારે જબલપુર પોલીસ સ્ટેશન ઓમતીમાં સ્ટાર કાસ્ટ સહિત નિર્માતા-નિર્દેશક વિરુદ્ધ FIR નોંધાવી છે. જેમાં ફિલ્મના દિગ્દર્શક નિલેશ કૃષ્ણા, નિર્માતા જતીન સેઠી, આર રવિન્દ્રન, પુનિત ગોઇકા, અભિનેત્રી નયનથારા, સારિક પટેલ અને મોનિકા શેરગીલ સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.