G Marimuthu Death:જી મેરીમુથુના હાર્ટ એટેકને કારણે સવારે 8:00 વાગ્યે એથિરનીચલ નામના તેના ટેલિવિઝન શો માટે ડબિંગ કરતી વખતે  અચાનક બેભાન થઈ ગયા હતા અને અચાનક ઢળી પડ્યાં હતા.  તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. તમિલ અભિનેતા-દિગ્દર્શક તાજેતરમાં રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ 'જેલર'માં જોવા મળ્યા હતા.  ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ શુક્રવારે એક્સ (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) પર અભિનેતાના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે.


જી મેરીમુથુએ તમિલ ટેલિવિઝન શ્રેણીમાં એથિરનીચલની ભૂમિકામાં ભારે લોકપ્રિયતા મેળવી હતી. તેણે ફિલ્મ નિર્માતા મણિરત્નમ અને અન્ય સાથે સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું છે.


ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ જેલર અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.


રમેશ બાલાએ ટ્વીટ કર્યું, "આઘાતજનક, લોકપ્રિય અભિનેતા મારીમુથુનું આજે સવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે... તાજેતરમાં, તેમણે તેમના ટીવી સિરિયલ ડાયલોગ્સ માટે ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેમની આત્માને શાંતિ મળે." ‘તે 57 વર્ષના હતા.


જી મેરીમુથુના નિધનથી તમિલ ઉદ્યોગમાં શોક


જી મેરીમુથુના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ચેન્નાઈમાં તેમના ઘરે લઈ જવામાં આવશે. પરિવારજનોની હાજરીમાં તેમના વતન થેનીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના આકસ્મિક નિધનથી તમિલ ઉદ્યોગ આઘાતમાં છે અને ઘણા સેલેબ્સ અને ચાહકો સ્વર્ગસ્થ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.


 મારીમુથુની સફર


મેરીમુથુ તેના ટીવી શો એથિરનીચલથી ખૂબ પ્રખ્યાત થયા હતા. ડેઈલી સોપમાં તેના પાત્ર અદિમુથુ ગુણસેકરનને કારણે તે ઘર-ઘરમાં જાણીતા બની ગયા હતા. ટીવી શોમાં તેમનો લોકપ્રિય ડાયલોગ 'હે, ઈન્દમ્મા' ઈન્ટરનેટ સેન્સેશન બની ગયો હતો. તેમણે તેમની કારર્કિદીની શરૂઆત 1999 માં અજીત કુમારની ફિલ્મ વેલીમાં સહાયક ભૂમિકા ભજવીને  કરી હતી. ત્યારબાદ, તેણે ડાયરેક્ટર વસંતની આસીમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. ફિલ્મમાં અજીત, સુવલક્ષ્મી અને પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકામાં હતા. 2008માં, મારીમુથુએ કન્નુમ કન્નુમ સાથે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી, જેમાં પ્રસન્ના અને ઉદયથારા મુખ્ય ભૂમિકામાં હતા. તેણે માત્ર ફિલ્મનું દિગ્દર્શન જ કર્યું ન હતું પરંતુ ફિલ્મ માટે સ્ક્રિપ્ટ, પટકથા અને સંવાદો પણ આપ્યા હતા.તેમણે દિગ્દર્શનમાંથી લાંબો બ્રેક લીધો હતો અને 2014માં પુલીવાલ ફિલ્મથી પુનરાગમન કર્યું હતું. પ્રસન્ના અને વેમલ અભિનીત થ્રિલર ડ્રામા 2011ની મલયાલમ ફિલ્મ ચપ્પા કુરિશુની રિમેક છે.


મારીમુથુની અભિનય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે ઘણી સહાયક ભૂમિકાઓમાં લોકપ્રિયતા મેળવી. તેમાં યુદ્ધમ સેઇ (2011), કોડી (2016), બૈરવા (2017), કડાઇકુટ્ટી સિંઘમ (2018), શિવરંજિનિયમ એનનમ સિલા પેંગલમ (2021), અને હિન્દી ફિલ્મ અતરંગી રેમાં પણ કામ કર્યું હતું.