મુંબઈની કઈ આલિશાન જગ્યાએ સોનમ કપૂરના થશે લગ્ન, કેવી રહેશે તૈયારીઓ, જાણો વિગત
સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સોનમ કપૂરના 6-7 મેનાં રોજ લગ્ન હોવાથી તે બહુ વ્યસ્ત છે અને તેણે લગ્નની તમામ ખરીદી કરી લીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. મુંબઈમાં જે જગ્યાએ લગ્ન યોજવાના છે એ ત્રણ જગ્યા પર બે કે ત્રણ દિવસ પહેલા જ તૈયારી શરુ કરી દેવામાં આવશે.
મહેંદી સેરેમની સોનમનાં 35 કરોડનાં આલીશાન ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ મુંબઈના બાંદ્રામાં થશે. આ એપાર્ટમેન્ટ 7 હજાર સ્ક્વાયર ફૂટમાં બનેલો છે. જ્યાં મહેમાનો તમામ વ્યવસ્થા કરવામાં આવશે.
સંગીત સેરેમની સોનમની બેસ્ટ ફ્રેન્ડ સંયુક્તા નાયરની ફાઈવ સ્ટાર હોટલ ધ લીલામાં યોજવામાં આવશે. ફરાહ ખાન સંગીત ફંક્શનને કોરિયોગ્રાફ કરશે. અનિલ કપૂર, સુનીતા કપૂર, કરણ જોહર અને અર્જુન કપૂર સ્પેશિયલ ડાંસ પરફોર્મન્સ આપશે.
55,000 સ્ક્વેયર ફૂટની આ પ્રોપર્ટીમાં પૂજા માટે આલીશાન અને સુંદર રૂમ છે. અભિનેત્રીનાં લગ્નમાં 3 મોટા ફંક્શન યોજાશે, જેમાં મહેંદી સેરેમની, સંગીત અને લગ્ન સમારંભનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઇવેન્ટ અલગ-અલગ જગ્યાએ યોજવામાં આવશે.
સોનમનાં દાદા વધારે ટ્રાવેલ કરી શકતા નથી અને સોનમનો પરિવાર ડેસ્ટિનેશન વેડિંગ કરતાં દાદીની હાજરીને વધારે જરૂરી માને છે. સોનમ અને આનંદનાં લગ્ન તેમની માસી કવિતા સિંહની બાંદ્રામાં આવેલી હેરિટેજ હવેલીમાં થશે.
મુંબઈ: અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહૂજાનાં લગ્નની ચર્ચાઓ હાલ ચારે બાજુ ચાલી રહી છે. સોનમ કપૂરનાં લગ્ન 6-7 મેનાં રોજ થવા છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. પહેલા સમાચાર હતા કે બંનેનાં ડેસ્ટિનેશન વેડિંગ જીનીવામાં થશે. જો કે હવે સમાચાર છે કે બંનેનાં લગ્ન મુંબઇમાં જ થશે. આ સેલિબ્રેશનને લગતી જાણકારીઓ સામે આવી છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, સોનમ કપૂર અને આનંદ આહૂજાનાં લગ્ન મુંબઈના બાંદ્રામાં આવેલી હેરિટેજ હવેલીમાં થવાના છે. આ પહેલા બંને ડેસ્ટિનેશન વેડિંગ કરવાના હતા પરંતુ સોનમ કપૂરની દાદીનાં કારણે વેન્યુમાં બદલાવ કરવામાં આવ્યો છે.