બોલિવૂડ: એક્ટર અર્જુન રામપાલ ફિલ્મ ધાકડની શૂટિંગ પૂર્ણ કર્યાં બાદ હવે ફુરસદનો સમય માણી રહ્યાં છે. તેમણે ઇન્સ્ટાગ્રામના પોસ્ટ દ્રારા જણાવ્યું કે, તે ખાલીપો મહેસૂસ કરે છે.


બોલિવૂડ ફિલ્મ એક્ટર અર્જૂન પાલ ખૂબ જ એક્ટિવ એક્ટર છે. જો કે હાલ તેમની પાસે કદાચ કોઇ કામ નથી. જેના કારણે તેમણે ઇન્સ્ટાગ્રામ પર તેની વ્યથા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટમાં લખ્યું કે, તેઓ ખાલીપો મહેસૂસ કરી રહ્યાં છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, તેમણે તેમની ફિલ્મ ધાકડનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે પરંતુ  હવે તે અચાનક એકદમ ખાલીપો મહેસૂસ કરે છે. જેનું કારણ પણ તેમણે શેર કર્યું છે.


જે નજીક રહે છે તેની યાદ સતાવે છે
બોલિવૂડ અભિનેતાનું કહેવું છે કે, આવું ત્યારે બને છે જ્યારે એવું કંઇક ખાસ અચાનક પૂર્ણ થઇ જાય, જે આપની નજીક હોય. તેમણે ફિલ્મના ક્રૂ મેમ્બરને યાદ કર્યાં અને કહ્યું કે, તેમની સાથેની યાદો વિશેષ છે. અર્જને લખ્યું કે,લોકો ભાવનામાં ડૂબી જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે દીલની નજીકનું કંઇ ખતમ થઇ જાય. ટીમ, ચાલક, દળ આ બધું જ યાદ કરી રહ્યો છું,. જે મારા માટે વિશેષ છે.



કંગનાને ફોટોથી ક્રોપ કરવી પડી
અર્જુને એક ફોટોમાં કંગના રનૌતને ક્રોપ કરવી પડી. તેમણે લખ્યું કે, ‘ક્ષમા કરે સેટ સે  કંગના રનૌત કે સાથ કી તસવીર ક્રોપ કરવી પડી ક્યુકિ ઉસકા લૂક ઓર મેરા વાસ્તવમે અભી તક સામને નહીં આયા”અર્જુને તેનો ટેગ કરતા લખ્યું કે, આપની સાથે કામ કરવું અદભૂત રહ્યું. ઉલ્લેખનિય છે કે, આ ફિલ્મમાં લીડ રોલમાં કંગના જોવા મળશે તો તેના વિરોધીના રોલમાં  અર્જુન જોવા મળશે. ધાકડને રજનીસ ઘાઇએ ડાયરેક્ટ કરી રહ્યાં છે.આ ફિલ્મ  1 ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મનું પોસ્ટર જોઇને કહી શકાય કે, કંગનાનો આ ફિલ્મમાં એકશન રોલ છે. આ પહેલા કંગનાએ પણ ફિલ્મના ક્રૂ મેમ્બર સાથે ફોટો શેર કરી હતી.