ભારતીય ફિલ્મો અને ટીવી શોના એક્ટર બિક્રમજીત કંવરપાલનું કોરોના વાયરસની સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ થોડા સમય પહેલા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ આજે ખબર સામે આવી છે કે તેમનું નિધન થયું છે. બિક્રમજીત ઘણી ટીવી સીરિયલમાં અને ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ નિભાવી ચુક્યા છે.

અશોક પંડિતે ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે મેજર બિક્રમજીતની કોવિડના કારણે નિધનની ખબર સાંભળીને હું બેહદ દુઃખી છુ. એક રિટાયર્ડ આર્મી ઓફિસર, જેમણે ઘણી ફિલ્મો અને ટીવીમાં કામ કર્યુ તેમના પરિવારને મારી સંવેદના.

બિક્રમજીત કંવરપાલના મોતની જાણકારી મળતાં લોકો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. કાસ્ટિંગ ડાયરેકટર અને ફિલ્મ નિર્માતા મુકેશ છાબરાએ પણ બિક્રમજિત કંવરપાલને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે ટ્વિટર પર તેમની એક તસ્વીર સાથે ટ્વીટ કરી, શું ચાલી રહ્યું છે RIP.

ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા બાદ 2003માં બિક્રમજીતે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ‘પેજ 3’, ‘રોકેટ સિંહઃ સેલ્સમેન ઓફ ધ યર’, ‘આરક્ષણ’, ‘મર્ડર 2’, ‘2 સ્ટેટ્સ’, ‘ગાઝી અટેક’, ‘પાપ’, ‘અતિથિ તુમ કબ જાઓગે’, ‘હે બેબી’, ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું

ફિલ્મ ઉપરાંત ટીવી શોમાં પણ કામ કર્યું હતું, જેમાં ‘દીયા ઔર બાતી હમ’, ‘યે હૈ ચાહતે’, ‘દિલ હી તો હૈ’ તથા ‘24’ સાામેલ છે.

બિક્રમજીતનો જન્મ હિમાચલ પ્રદેશમાં આર્મી ઓફિસરના ઘરમાં થયો હતો. 2002માં તેઓ સેનામાંથી રિટાયર્ડ થયા હતા.

હિમાચલ પ્રદેશમાં સોલનમાં 1968માં જન્મેલ બિક્રમજીત કંવરપાલ ભારતીય સૈન્ય અધિકારી દ્વારકાનાથ કંવરપાલના દીકરા હતા જેમણે 1963માં કીર્તિ ચક્રથી સન્માનીત કરવામાં આવ્યા હતા. બિક્રમજીતને વર્ષ 1989માં ભારતીય સેનામાં કમિશન કરવામાં આવ્યા હતા અને તેઓ વર્ષ 2002માં ભારતીય સેનામાં એક મેજર તરીકે રિટાયર થયા હતા. એક્ટર બનવાનું તેમનું બાળપણથી સપનું હતું અને પોતાના આ સપનું તેમણે રિટાયર થયા બાદ પૂરું કર્યું.