હૈદરાબાદઃ સાઉથ ફિલ્મોનો સુપરસ્ટાર ચિરંજીવીને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. તેને ટ્વીટ કરીને પોતાના ફેન્સને આ વાતની જાણકારી આપી છે.


એક્ટર ચિરંજીવીએ પોતાની અપકમિંગ ફિલ્મ આચાર્યના શૂટિંગ શરૂ કરતા પહેલા તેને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સ હવે તેને જલ્દી સાજા થવાની દુઆઓ કરી રહ્યાં છે.

ચિરંજીવીએ ટ્વીટર પર લખ્યું- હું ફિલ્મ આચાર્યનુ શૂટિંગ શરૂ કરવા માગતો હતો, આ પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. જોકે, કોઇ કોરોનાના લક્ષણો નથી. મે તરત જ ખુદને ક્વૉરન્ટાઇન કરી લીધો છે. હું ઇચ્છુ છુ કે જે કોઇ મને છેલ્લા 4-5 દિવસમાં મળ્યુ છે, તે પોતાનુ ટેસ્ટિંગ કરાવી લે. હું સમય સમય પર મારા સ્વાસ્થ્યની જાણકારી આપતો રહીશ.