Arjun Kapoor On Janhvi and Malaika:  બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની ફિલ્મ 'કુત્તે' તાજેતરમાં રિલીઝ થઈ છે. જોકે ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી અને ફિલ્મ રિલીઝ થયાના ચાર દિવસમાં બોક્સ ઓફિસ પર હાંફી રહી છે. આ બધાની વચ્ચે 'કુત્તે' એક્ટર અર્જુને એક ઈન્ટરવ્યુ દરમિયાન તેની સાવકી બહેન અને અભિનેત્રી જાહ્નવી કપૂરની અસુરક્ષા વિશે વાત કરી. આ સાથે અર્જુને મલાઈકા અરોરા સાથેના તેના "અનોખા" કનેક્શનની પણ ચર્ચા કરી અને તેમના સંબંધોને ખાસ ગણાવ્યા હતા.


જાહ્નવી કપૂર પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરતી નથી


સિદ્ધાર્થ કન્નનને આપેલા એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે જાહ્નવી કપૂર વિશે કહ્યું હતું કે, "તે કામની ભૂખી છે. તે અસુરક્ષિત છે. તે નર્વસ છે અને તેની ક્ષમતામાં વિશ્વાસ નથી કરતી. તે એ હકીકતથી ખૂબ જ કમ્ફર્ટેબલ છે કે તે કોની પુત્રી છે અને તે જરૂરી પણ છે. તેની પસંદગી ખૂબ જ રસપ્રદ છે કારણ કે મને લાગે છે કે તે એવા સમયે આવી છે જ્યાં તમારે નિર્ભય રહેવું પડશે. તે તકો લેવા તૈયાર છે."






અભિનેત્રી તરીકે જાહ્નવીનું ભવિષ્ય ઉજ્જવળ છે


જાહ્નવી કપૂર વિશે અર્જુન કપૂર વધુમાં કહે છે કે અભિનેત્રી તરીકે જાહ્નવીનું ભવિષ્ય ઘણું સારું છે કારણ કે તે પ્રયોગ કરવામાં ડરતી નથી. તેણે કહ્યું, "તે જોખમ લઈ રહી છે અને આગળ વધી રહી છે, મને લાગે છે કે તેનું ભવિષ્ય ખરેખર ઉજ્જવળ છે. અમે બંને ઘણી વાતો કરીએ છીએ. અમે જૂની હિન્દી ફિલ્મોથી લઈને તે કેવા પ્રકારની ફિલ્મ કરવા માંગે છે તે વિશે વાત કરીએ છીએ."અમે દરેક બાબતે ચર્ચા કરીએ છીએ. કામ વિશે ચર્ચા કરવામાં અમારી બંને વચ્ચે એક અલગ જ કનેક્શન છે.  



મલાઈકાના કારણે હું ખુશ થઈને સૂઈ શકું છું અને જાગી શકું છું


ઈન્ટરવ્યુ દરમિયાન અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેના સંબંધો વિશે પણ વાત કરી હતી. અભિનેતાએ કહ્યું, "એવું પાર્ટનર હોવું જે તમને સિક્યોર અને જમીન સાથે જોડાયેલા રાખે જે તમારી ડેયલી મુવમેન્ટ અને વિચારોમાં જોવા મળે. તેણે હકીકતમાં મને તેની પોતાની વ્યક્તિ બનવા દીધી છે. અમે બંને એકબીજાની લાઈફમાં સારી રીતે ફિટ થઈએ છીએ. અર્જુને વધુમાં કહ્યું કે ભલે સમાજ રીતે અમારો યુનિક સંબંધ હોય પરંતુ એ વાત વધુ મહત્વની છે કે તેના કારણે હું ખુશ થઈને સૂઈ શકું છું અને ઉઠી પણ શકું છું