Suraiya Dev Anand Love Story: પોતાના સમયની સુપરસ્ટાર દિગ્ગજ અભિનેત્રી હોવા ઉપરાંત સુરૈયા એક પ્રખ્યાત ગાયિકા પણ હતી. જો બોલિવૂડના ઈતિહાસની જાણીતી લવસ્ટોરીની વાત કરીએ તો તેમાં અભિનેત્રી સુરૈયા અને અભિનેતા દેવ આનંદની લવસ્ટોરીનો ઉલ્લેખ ચોક્કસથી કરી શકાય. અભિનેત્રી સુરૈયા અભિનેતા દેવ આનંદને એટલો બધો પ્રેમ કરતી હતી કે તે આખી જિંદગી કુંવારી રહી. એક અહેવાલ મુજબ દેવ આનંદ અને સુરૈયા પહેલીવાર ફિલ્મ 'વિદ્યા'ના સેટ પર મળ્યા હતા અને અહીંથી બંને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો.  બંનેએ પહેલી નજરે જ એકબીજાને દિલ દઈ દીધું હતું અને ગઢ પ્રેમની શરૂઆત થઈ હતી 


નાનીને દેવ આનંદ પસંદ નહોતો


જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુરૈયા અને દેવ આનંદના પ્રેમની ચર્ચાઓ થવા લાગી ત્યારે આ આખો મામલો અભિનેત્રીના પરિવાર સુધી પહોંચ્યો હતો. સુરૈયાના ઘરે તેની દાદીનું વગ હતું. તે કહે તેટલું જ ઘરમાં થતું હતું. જ્યારે તેની દાદીને તેમના પ્રેમની ખબર પડી ત્યારે તેણે દેવ આનંદને ઘરે આવતા અટકાવ્યા હતા. અને સુરૈયાને મળવાની ના કહી દીધી હતી. જોકે સુરૈયાની માતાને એક્ટર ખૂબ જ પસંદ હતો. સુરૈયાની દાદી અલગ ધર્મના હોવાના કારણે આ સંબંધને સહન કરી શકતી ન હતી. તેણે સુરૈયા પર નિયંત્રણો લાદવાનું પણ શરૂ કર્યું. જ્યારે તેમનો પ્રેમ ખીલી રહ્યો હતો ત્યારે દેવ આનંદની કારકિર્દી વધી રહી હતી અને સુરૈયાએ પોતાનું નામ બનાવી લીધું હતું.


આખી જીંદગી સિંગલ રહી


અભિનેત્રી સુરૈયાની દાદીએ નક્કી કર્યું હતું કે તે સુરૈયા અને દેવ આનંદને ક્યારેય એક થવા દેશે નહીં અને છેવટે એવું જ થયું. દેવ આનંદે સુરૈયા સાથેના બ્રેકઅપ બાદ કલ્પના કાર્તિક સાથે લગ્ન કર્યા. પરંતુ સુરૈયા તેમના પ્રેમમાં કુંવારી રહી. ભલે તે સમયે તે દેવ આનંદ સાથે રહેવાની હિંમત ન કરી શકી. પણ તે હંમેશા તેની યાદોમાં ખોવાયેલી રહેતી. સુરૈયા જ્યારે 2004માં 74 વર્ષની વયે આ દુનિયા છોડી ગઇ ત્યારે બધાને આશા હતી કે દેવ આનંદ ચોક્કસ તેને છેલ્લી વાર જોવા જશે. જો કે એવું ન થયું અને આ લવ સ્ટોરીનો અંત આવી ગયો.