Sridevi was Protective About her Daughters: બોલિવૂડની લેડી સુપરસ્ટાર શ્રીદેવી નિઃશંકપણે આજે આપણી વચ્ચે નથી પરંતુ આજે પણ તેણીએ તેના ગીતો અને ફિલ્મો દ્વારા દર્શકોના હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. શ્રીદેવીએ માત્ર 8 વર્ષની ઉંમરથી પોતાનું જીવન ફિલ્મી દુનિયાને સમર્પિત કરી દીધું હતું. શ્રીદેવીએ 54 વર્ષ સુધી 300 ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાંથી મોટાભાગની ફિલ્મો સુપર ડુપર હિટ રહી. જો શ્રીદેવી તેની ફિલ્મોને લઈને આટલી પ્રોટેક્ટિવ હતી, તો કલ્પના કરો કે તે તેની દીકરીઓ માટે કેટલી પ્રોટેક્ટિવ રહી હશે.


શ્રીદેવીએ પોતાની દીકરીઓને વોશરૂમને લોક કરવા નહોતી દેતી 


શ્રીદેવી અને બોની કપૂરને જાહ્નવી કપૂર અને ખુશી કપૂર નામની બે સુંદર દીકરીઓ છે. 24 ફેબ્રુઆરી એટલે કે આજે શ્રીદેવીની પુણ્યતિથિ છે. પુણ્યતિથિના અવસર પર અમે તમને અભિનેત્રી સાથે જોડાયેલી એવી કહાની જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે ચોંકી જશો. શું તમે જાણો છો કે શ્રીદેવીએ પોતાની દીકરીઓને વોશરૂમમાં ક્યારેય કુંડી નથી લગાવવા દીધી. જાણો શું કારણ હતું કે શ્રીદેવી પોતાની દીકરીઓ માટે આટલી ચિંતિત હતી.


માતાએ મને અને મારી બહેનને ક્યારેય વોશરૂમને લોક કરવા ના દીધું: જાહ્નવી 


મીડિયા સાથેની વાતચીતમાં જાહ્નવી કપૂરે તેની માતાની આ આદતની વાત કરી હતી અને કહ્યું કે મારી માતાએ મને અને મારી બહેનને ક્યારેય વોશરૂમને લોક કરવા દીધું ના હતું. તાળું લગાવવું તો દૂરની વાત છે, તેના રૂમના વોશરૂમમાં કોઈ લોક નહોતું. પોતાના ઘર વિશે વાત કરતા જાહવી કપૂરે કહ્યું હતું કે આ ઘર તેની માતાએ સુંદર રીતે શણગાર્યું છે પરંતુ આજ સુધી મારા બાથરૂમને લોક મારવામાં આવ્યું ન હતું કારણ કે માતાને ડર હતો કે હું બાથરૂમમાં જઈને છોકરાઓ સાથે વાત કરીશ. આ કારણે તેણે મને બાથરૂમને લોક મારવા દીધું ન હતું.


જાહ્નવી કપૂરને સતાવી રહી છે માતાની યાદ 


જ્હાવી કપૂરના ડેબ્યૂના થોડા મહિના પહેલા જ શ્રીદેવીના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. શ્રીદેવીના નિધન પછી બોની કપૂર બંને દીકરીઓના માતા-પિતા બનીને દરેક સમયે તેમની સાથે ઉભા જોવા મળે છે. માત્ર બોની કપૂર જ નહીં, પરંતુ બોની કપૂરના પહેલા લગ્નના બાળકો અર્જુન કપૂર અને અંશુલા કપૂર પણ જાહવી અને ખુશીની સામે ઢાલ બનીને ઊભા જોવા મળે છે. આજે બધા શ્રીદેવીને યાદ કરી રહ્યા છે. દર વર્ષે દીકરી જાહ્નવી તેની માતાની યાદમાં આ દિવસને યાદ કરીને આંસુ વહાવે છે.