IPL 2024: તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં પરિસ્થિતિ બહુ સારી રહી નથી. એવી અટકળો પણ ચાલી રહી છે કે રોહિત શર્મા IPL 2024ના અંત પછી મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે. હાર્દિક પંડ્યા સાથેના અણબનાવના સમાચારે સોશિયલ મીડિયા પર પણ ભારે હોબાળો મચાવ્યો છે. આવી સ્થિતિમાં, રોહિત શર્માના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે કારણ કે અભિનેતા અને કોમેડિયન કપિલ શર્માએ રોહિતને તેના શોમાં આવવાના સંકેત આપ્યા છે.

Continues below advertisement


 






કપિલ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રોહિત શર્મા અને શ્રેયસ અય્યર સાથેની તસવીર શેર કરી છે. આ સાથે, તેણે કેપ્શનમાં રોહિત શર્મા અને શ્રેયસ ઐયરને ટેગ કર્યા અને લખ્યું કે તેના શોનો આગામી એપિસોડ શનિવારે જોવા માટે ઉપલબ્ધ રહેશે. આ અઠવાડિયે, 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' નો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે આવનારા એપિસોડમાંથી લોકો શું અપેક્ષા રાખી શકે છે.


અમારા છોકરાઓ સુસ્ત મુર્ગા છે


એ જ પ્રોમોમાં કપિલ શર્માએ રોહિત શર્માને પૂછ્યું કે શું માઈક હજુ પણ સ્ટમ્પ પર લાગુલું હોય છે. આવી સ્થિતિમાં જ્યારે તે ગુસ્સે થાય છે ત્યારે તે ખેલાડીઓને શું કહે છે? રોહિતે જવાબ આપ્યો, "આપણે શું કરી શકીએ, અમારા છોકરાઓ સુસ્ત મુર્ગા છે. તેઓ દોડતા નથી."


IPL 2024માં રોહિત અને શ્રેયસની ટીમની સ્થિતિ
જો આપણે IPL 2024 પર નજર કરીએ તો, શ્રેયસ અય્યરે તેની કેપ્ટનશિપ હેઠળ અત્યાર સુધીની ત્રણેય મેચોમાં કોલકાતા નાઈટ રાઈડર્સને જીત અપાવી છે. તેની ટીમ KKR અત્યારે પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે ટોપ પર છે. બીજી તરફ સીઝનની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ રોહિત શર્મા પાસેથી છીનવીને હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી. મુંબઈ અત્યાર સુધી સિઝનમાં ત્રણેય મેચ હારી ચૂક્યું છે, તેથી તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને બેઠું છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે રોહિત હાર્દિકની કેપ્ટનશિપથી બિલકુલ ખુશ નથી.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial