મુંબઇઃ એક્ટ્રેસ મિષ્ટી મુખર્જીનુ નિધન થઇ ગયુ છે. એક્ટ્રેસનુ નિધન 'કેટો ડાયેટ'ના કારણે થયુ હોવાનુ ચર્ચાઇ રહ્યું છે. અભિનેત્રી મિષ્ટી મુખર્જી ઉપરાંત સારા અલી ખાન, કરિના કપૂર, કરણ જોહર, સોનમ કપૂર, ઝરીન ખાન, અર્જૂન કપૂર, અદનાના સામી, હૂમા કૂરેશી, અનંત અંબાણી સહિતની સેલિબ્રિટીઓ પણ 'કેટો ડાયેટ'નો ઉપયોગ કરી ચૂકી છે. કેટો ડાયેટથી શરીરમાં અમૂક સમય બાદ અમૂક ભાગોમાં નુકશાન થઇ શકે છે.


મિષ્ટી મુખર્જી છેલ્લા કેટલાય સમયથી કિડની સંબંધિત સમસ્યા સામે ઝઝૂમી રહી હતી. તેને ઇલાજ પણ ચાલી રહ્યો હતો. એક્ટ્રેસે શુક્રવારે રાત્રે બેગ્લુરુમાં છેલ્લો શ્વાસ લીધો હતો. રિપોર્ટમાં પ્રમાણે જાણવા મળ્યુ છે કે અભિનેત્રી છેલ્લા કેટલાય સમયથી ગુર્દાથી જોડાયેલી બિમારીથી પીડિત હતી.

શું છે કીટી ડાયટ?
કિટોજેનિક ડાયટ એક ઉચ્ચ ફેટ, પર્યાપ્ત પ્રૉટીન, કમ કાર્બોહાઇડ્રેટ વાળો આહાર હોય છે. જેનો ઉપયોગ ખાસ કરીને બાળકોમાં મિર્ગીના ઇલાજ માટે કરવામાં આવે છે. આહાર શરીરને કાર્બોહાઇડ્રેટની જગ્યાએ ફેટ સળગાવવા માટે કરે છે. મોટાપો ઓછો કરવા અને વજનને સમતોલ રાખવા માટે કીટો ડાયેટ પ્લાનનો સેલિબ્રિટીઓ ખુબ પ્રયોગ કરે છે, જોકે, યોગ્ય રીતે આનો ઉપયોગ ના કરવાથી તેની સાઇડ ઇફેક્ટ પણ થાય છે. કેટો ડાયેટના કારણે કિડની ફેલ થવાનો પ્રૉબ્લમ સૌથી વધુ રહે છે.

મિષ્ટી છેલ્લા એક દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ હતી, તેને વર્ષ 2012માં ફિલ્મી કેરિયર શરૂ કરી હતી, આ પછી તેને કેટલીક ફિલ્મો અને આઇટમ સોન્ગમાં દેખાઇ ચૂકી હતી, પરંતુ કોઇ મોટા પ્રૉજેક્ટ્સમાં કામ ન હતુ મળ્યુ.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ