Nawazuddin Siddiqui Talk About His Personal Life: બોલિવૂડના પીઢ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી છેલ્લા કેટલાક દિવસોથી તેના અંગત જીવનને લઈને હેડલાઇન્સમાં છે. તેની પત્ની આલિયાએ અભિનેતા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. જેના કારણે અભિનેતાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ત્યારબાદ અભિનેતાએ આ બાબતે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ હવે તેણે આ મામલે તેના મૌનનું કારણ જાહેર કર્યું છે.






ક્યારેક અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ – નવાઝ


ઈટાઇમને આપેલા ઈન્ટરવ્યુમાં નવાઝુદ્દીને પોતાના જીવનની ઘણી વાતો શેર કરી હતી. અભિનેતાએ કહ્યું, "ગંદા માણસ તમને પડકારે છે અને જ્યારે તમે કોર્ટમાં જાઓ છો, ત્યારે તે તમારા કરતા વધુ સ્માર્ટ બની જાય છે. જો તમે આવી સ્થિતિમાં પ્રતિક્રિયા આપો છો તો તે વધુ સ્માર્ટ બની જાય છે.  તેવા કિસ્સામાં અફવાઓ પર ધ્યાન ન આપવું વધુ સારું છે.


સત્ય બહાર આવે ત્યાં સુધીમાં કરિયર સમાપ્ત થઈ જાય છે - નવાઝ


અફવાઓ વિશે વાત કરતા નવાઝે કહ્યું કે, અન્ય વ્યક્તિને વિલન બનાવવા માટે અફવા ફેલાવવામાં આવે છે. જેમાં બીજા ઘણા લોકો પણ આગમાં ઘી નાખવાનું કામ કરે છે અને લોકો તેમની વાત માનવા લાગે છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી મામલાની સંપૂર્ણ સત્યતા સામે આવે ત્યાં સુધી તે વ્યક્તિની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોય છે ."


આ ફિલ્મોમાં નવાઝુદ્દીન સિદ્દીકી જોવા મળશે


વર્કફ્રન્ટની વાત કરીએ તો નવાઝુદ્દીન ટૂંક સમયમાં સુધીર મિશ્રાની ફિલ્મ 'અફવાહ'માં જોવા મળશે. જેમાં તે ભૂમિ પેડનેકર સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મ 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ પછી તે નેહા શર્મા સાથે રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'જોગીરા સા રા રા'માં જોવા મળશે. તેની ફિલ્મ 12 મેના રોજ સિનેમાઘરોમાં આવશે.