રજનીકાંતના ફેન ક્લબ રજની મક્કલ મંદ્રમ દ્વારા આવું ન કરવાનું કહ્યા બાદ પણ સમર્થકોએ અહીં પ્રદર્શ કર્યું હતું.
29 ડિસેમ્બર 2020ના રજનીકાંતે કોરોના મહામારીનું કારણ આપતા તમિલાનાડુના રાજકારણમાં ન આવવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે તેનાથી તેના સ્વાસ્થ્યને નુકસાન પહોંચવાની આશંકા છે.
આ પહેલા અભિનેતાએ કહ્યું હતું તેઓ એક નવી રાજકીય પાર્ટીની સ્થાપના કરી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી લડશે. બાદમાં પોતાના સ્વાસ્થ્યના કારણે પોતાનો આ નિર્ણય બદલવો પડ્યો છે.