Ram Janmbhoomi, Ram Mandir Udghatan 2024: અયોધ્યામાં સોમવાર એટલે કે આજે 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાની મૂર્તિના અભિષેકનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. અભિષેક સમારોહ જોવા લોકોની રાહનો આજે અંત આવી રહ્યો છે. રામનું નામ આખી દુનિયામાં ગુંજી રહ્યું છે. જ્યારે કેટલાક સ્ટાર્સ અયોધ્યા પહોંચી ચૂક્યા છે, તો કેટલાક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે રવાના થતા જોવા મળી રહ્યાં છે. હવે આ દરમિયાન આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ અયોધ્યા જતા જોવા મળ્યા હતા. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો ટ્રેડિશનલ લૂક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં કપલ એકદમ અલગ લુકમાં જોવા મળી રહ્યું છે.


આલિયા -રણબીરનો નવો ટ્રેડિશનલ લૂક 
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજે અયોધ્યામાં યોજાનારી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા માટે તૈયાર છે. સોમવારે સવારે આ સ્ટાર કપલ મુંબઈથી અયોધ્યા જતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં રણબીર કપૂર તેની કારમાંથી ધોતી-કુર્તા પહેરીને બહાર નીકળતો જોવા મળે છે. તેણે શાલ પહેરીને પોતાનો લુક પૂરો કર્યો છે. સિમ્પલ સી-ગ્રીન કલરની સાડીમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી.






રોહિત શેટ્ટી સાથે દેખાયા આલિયા-રણબીર 
આ વીડિયોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ફેમસ ફિલ્મ મેકર રોહિત શેટ્ટી પણ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. પહોંચતાની સાથે જ ત્રણેએ પાપારાઝી માટે પોઝ આપ્યો. વળી, ચાહકો આ તસવીરો અને વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રામ મંદિર માટે ઘણા ફિલ્મ સ્ટાર્સને આમંત્રણ મળ્યું છે. બોલિવૂડની 'ડ્રીમગર્લ' હેમા માલિની, અનુપમ ખેર, રજનીકાંત અને કંગના રનૌત જેવી હસ્તીઓ અયોધ્યા પહોંચી ચૂકી છે.


રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિશે.... 
રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે સમગ્ર વિશ્વમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમવારે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સિનેમા અને રમતગમતની દુનિયાના મોટા નામોથી લઈને ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ અતિથિ તરીકે હાજરી આપશે. અયોધ્યામાં અભિષેકની વિધિ 16 જાન્યુઆરીથી શરૂ થઈ હતી, જે હજુ પણ ચાલી રહી છે.