Alia Bhatt Ranbir Kapoor Wedding:  એ વાત લગભગ કન્ફર્મ થઈ ગઈ છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ  લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે.  દુલ્હનના સ્વાગત માટે રણબીર કપૂરના ઘરને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે.  ઘર પર લગ્નના પોશાક આવી રહ્યા છે, જ્યારે સંબંધીઓ આ લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. તે જ સમયે, બી-ટાઉનમાં થવા જઈ રહેલા આ લગ્નને લગતા ઘણા અપડેટ્સ સામે આવી રહ્યા છે. હવે વધુ એક લેટેસ્ટ અપડેટ આવ્યું છે.


રણબીર અને આલિયા બંને વેડિંગ ફંક્શનમાં ટ્વિસ્ટ આપવા માંગે છે. આ જ કારણ છે કે પંજાબી રીતે થનારા આ લગ્નમાં તે વધુ એક ખાસ કામ કરવા જઈ રહ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સાત ફેરા લીધા પહેલા, રણબીર અને આલિયા એકબીજાને ખાસ વાયદા કરશે.  જે તેઓ હંમેશા પાળી શકે અને તેમના લગ્ન જીવનને વધુ સારું બનાવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ પોતપોતાના વાયદા તૈયાર કર્યા છે.


14મી એપ્રિલે લગ્ન થશે


અત્યાર સુધી જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ આલિયા અને રણબીર 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાશે. જેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જો કે કપૂર અને ભટ્ટ પરિવારે લગ્નના સમાચાર પર મૌન સેવ્યું છે અને તેઓ તારીખની પુષ્ટિ કરી રહ્યા નથી. પરંતુ મીડિયામાં 14 એપ્રિલની તારીખ અંતિમ માનવામાં આવે છે. તારીખ સિવાય જે સમાચાર આવ્યા છે તે મુજબ લગ્ન આરકે હાઉસમાં થવાના છે. સાથે જ ક્રિષ્ના રાજ બંગલાને પણ સંપૂર્ણ સજાવવામાં આવ્યો  છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટ લગ્નના દિવસે સબ્યસાચીના ડિઝાઈન કરેલા લહેંગા પહેરવા જઈ રહી છે, જ્યારે બાકીના ફંક્શનમાં તે મનીષ મલ્હોત્રાના ડિઝાઈન કરેલા આઉટફિટ પહેરશે. લગ્નના કાર્યક્રમો 13 એપ્રિલથી શરૂ થશે અને 17 એપ્રિલ સુધી ચાલશે. 


આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાના લગ્ન વિશેના સમાચાર પર હજી સુધી કોઈ વાત નથી કરી છતાં પણ હાલ તેમના લગ્નની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. આલિયા આમ તો તેના રણબીર કપૂર સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરતી આવી છે. પરંતુ આલિયાએ લગ્નના સમાચાર અંગે તો મૌન જ ધારણ કર્યું છે.