Ranbir And Alia: બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ શમશેરાના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે અંતર્ગત તે ઘણીવાર તે ચર્ચામાં રહે છે. આ દરમિયાન રણબીર કપૂરે આલિયા ભટ્ટ વિશે મોટું નિવેદન આપ્યું છે. જેના આધારે રણબીર કપૂરે જણાવ્યું છે કે માતા બન્યા બાદ આલિયાનું ફિલ્મી કરિયર કેવું જશે. હાલમાં આલિયા ભટ્ટ વિદેશમાંથી શૂટિંગ પુરૂ કરીને ભારત આવી છે. આ દરમિયાન તેને એરપોર્ટ પર લેવા માટે રણબીર પહોંચ્યો હતો. જેને વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.


રણબીર કપૂરે આલિયાના કરિયરને લઈને આપ્યું નિવેદન


તાજેતરમાં જ બોલિવૂડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટના માતા બનવાના સારા સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, શમશેરાના પ્રમોશન હેઠળ એક મીડિયા ઇન્ટરવ્યુમાં રણબીર કપૂરે આલિયા ભટ્ટની કારકિર્દી વિશે ખુલીને વાત કરી છે. રણબીર કપૂરના કહેવા પ્રમાણે, હું અને આલિયા ભટ્ટ અમારા આવનારા બાળકો વિશે ખૂબ જ ખુશ છીએ. અમે લગ્ન પહેલા જ બાળક માટે પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. આવી સ્થિતિમાં માતા બન્યા બાદ આલિયા ભટ્ટની એક્ટિંગ કરિયર પર પણ વિચાર કરવામાં આવ્યો છે. હું નથી ઇચ્છતો કે આલિયા તેના સપના છોડી દે અથવા તેની ફિલ્મી કરિયર બંધ કરે. આવી સ્થિતિમાં, તેઓએ બધું સંતુલિત કરીને ચાલવું પડશે. જેના માટે હું હંમેશા તેની સાથે ઉભો છું.


શમશેરા ક્યારે રિલીઝ થશે?


તો બીજી તરફ રણબીર કપૂરની આગામી ફિલ્મ શમશેરાની વાત કરીએ તો આ ફિલ્મ આ મહિનાની 22 જુલાઈએ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. શમશેરા ફિલ્મ દ્વારા જ રણબીર કપૂર લગભગ 4 વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન, શમશેરાનું ટ્રેલર જોયા પછી, ચાહકોની ઉત્તેજના ઘણી વધી ગઈ છે.


આ પણ વાંચો.... 


Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ


DANG : સાપુતારામાં સુરતની 50થી વધુ પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી


India Corona Cases Today: જુલાઈમાં સતત ચોથા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ


ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું


Edible Oil Price: જનતા પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો વધારો


Horoscope Today 10 July 2022:વૃષભ, કર્ક, સિંહ અને મીન રાશિના લોકો રહે સાવધાન, જાણો આજનું રાશિફળ