Shah Rukh Khan AskSRK: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ 'જવાન'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે  થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. જ્યારે આ પહેલા અભિનેતા શાહરુખ ખાને રવિવારે તેના ચાહકો માટે #AskSRK સેશન રાખ્યું હતું. જેની જાહેરાત થોડા સમય પહેલા ખુદ અભિનેતાએ કરી હતી.


શાહરુખે 'જવાન'ની રિલીઝ પહેલા #AskSRK સેશન કર્યું


આ માટે શાહરૂખ ખાને ટ્વિટર પર એક ટ્વિટમાં લખ્યું- '4 દિવસ અને પછી આમને સામને મુલાકાત થશે. ત્યાં સુધીમાં 4 વસ્તુઓ થશે. #Jawan અને જીવનની તમામ બાબતો વિશે...ચાલો થોડું #AskSRK...રવિવારનું  સેશન કરીએ..' આ સેશન  દરમિયાન, અભિનેતાએ સૌપ્રથમ ખુલાસો કર્યો કે 'જવાન'નું કયું ગીત તેના પુત્ર અબરામને પસંદ છે. 





અભિનેતાએ ફિલ્મ વિશે આ ખુલાસો કર્યો છે


શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ને લઈને ચાહકોમાં ઘણી ચર્ચા છે. સૈકનિક્લના જણાવ્યા અનુસાર, ફિલ્મે તેની રિલીઝ પહેલા જ 13.17 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને અત્યાર સુધીમાં 4.26 લાખ ટિકિટ વેચી છે. ફિલ્મને લઈને ચાહકોના મનમાં ઘણા પ્રશ્નો હતા, જેનો જવાબ આપવા માટે શાહરૂખ ખાને રવિવારે તેમના માટે ફરી એકવાર #AskSRK સેશન કર્યું. આ સેશનમાં અભિનેતાએ સૌથી પહેલા 'જવાન' વિશે ખુલાસો કર્યો હતો કે તેના પુત્ર અબરામને કયું ગીત પસંદ છે.




અબરામને ફિલ્મનું આ ગીત પસંદ છે


એક યુઝરે શાહરૂખ ખાનને પૂછ્યું હતું કે 'જવાન'માં અબરામનું ફેવરિટ ગીત કયું છે ? જેના જવાબમાં કિંગ ખાને કહ્યું કે આ ફિલ્મમાં ખૂબ જ સુંદર લોરી છે જે અબરામને પસંદ છે. પણ મારા પ્રિય ગીતો   'ચલેયા' અને ' નોટ રમૈયા વસ્તાવૈયા 'છે. 




ત્રણ વર્ષની મહેનત માટે હું ઉત્સાહિત છું - શાહરૂખ


આ સિવાય એક યુઝરે શાહરૂખને એમ પણ પૂછ્યું કે શું તે ફિલ્મની રિલીઝને લઈને નર્વસ છે ? જેના પર તેણે કહ્યું કે, 'હું માત્ર એ વાતને લઈને  એક્સાઈટેડ છું કે 'જવાન' થિયેટરોમાં વધુમાં વધુ લોકોનું મનોરંજન કરશે... આ છેલ્લા ત્રણ વર્ષની મહેનત છે અને મને આશા છે કે તે તમામ રેકોર્ડ તોડવામાં સફળ થશે. 


જણાવી દઈએ કે શાહરુખ ખાનની આ ફિલ્મ એટલીના નિર્દેશનમાં બની છે. જેમાં તેની સાથે નયનતારા અને વિજય સેતુપતિ પણ છે. આ ફિલ્મ 7મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની તૈયારીમાં છે.