Sunita Ahuja On Govinda Extra Marital Affairs: સુનિતા આહુજાએ તાજેતરમાં ગોવિંદાના લગ્નેત્તર સંબંધો વિશે વાત કરી હતી. તેણી કહે છે કે તેની તેમના બાળકો પર ઊંડી અસર પડી હતી.

Continues below advertisement

બોલિવૂડ અભિનેતા ગોવિંદા પોતાના અંગત જીવનને લઈને અવારનવાર સમાચારમાં રહે છે. તેમની પત્ની સુનિતા આહુજા પણ પોતાના બેબાક નિવેદનોથી બધાને આશ્ચર્યચકિત કરે છે. તે ઘણીવાર પોતાના પતિના અફેર્સની ચર્ચા કરતી જોવા મળે છે.

તાજેતરમાં, સુનિતા આહુજાએ ફરી એકવાર પોતાના અંગત જીવન વિશે વાત કરી. તેણીએ ખુલાસો કર્યો કે ગોવિંદાના લગ્નેત્તર સંબંધોની અફવાઓએ તેના બાળકો, ટીના અને યશવર્ધનને ખૂબ અસર કરી છે.

Continues below advertisement

મિસ માલિની સાથે વાત કરતા, સુનિતા આહુજાએ કહ્યું, "જુઓ, મારા બાળકો મોટા થઈ ગયા છે અને મેં હંમેશા કહ્યું છે કે તેઓ નારાજ થાય છે અને હું હંમેશા કહું છું, 'આ તમારી ઉંમર નથી."

સુનિતાએ આગળ કહ્યું, "પણ જુઓ, આજકાલની છોકરીઓ, જે સંઘર્ષ કરવા આવે છે, તેઓ ઇચ્છે છે કે કોઈ સુગર ડેડી મળી જાય અને તેમના ખર્ચા ઉઠાવે . તેમની શકલ બે કોડીની હોય છે અને તેઓ હિરોઇન બનવા માંગે છે. તો તમે શું અપેક્ષા રાખો છો?"

સુનિતા આહુજાએ આગળ કહ્યું, "તો પછી શું થાય? તેઓ તમને ફસાવશે, પછી તમને બ્લેકમેલ કરશે, શું તમે સમજો છો?" તો આવી ઘણી છોકરીઓ છે.

સુનિતા કહે છે, "પણ તમે થોડા મુરખ છો. તમારી ઉંમર 63 વર્ષની છે. તમારી પાસે સારો પરિવાર છે, સુંદર પત્ની છે અને બે મોટા બાળકો છે. આ ઉંમરે તમે આ બધું કરી શકતા નથી."

ગોવિંદા વિશે સુનિતા આગળ કહે છે કે, જો તેમણે જવાનીમાં આવું કર્યું હોય તો કોઈ વાંધો નથી. આપણે યુવાનીમાં હોઈએ ત્યારે આવી ભૂલો કરીએ છીએ, પણ આ ઉંમરે નહીં. તમારે દીકરી ટીનાના લગ્ન કરાવવાના છે, યશનું કરિયર બનાવવાનું છે, તેથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરોને. તેમણે છેલ્લે કહ્યું, "જો મને પાક્કી માહિતી મળશે, તો હું ગોવિંદાને માફ નહીં કરું."

ગોવિંદાએ શું આપ્યો જવાબ?

હવે, બોલિવૂડ સ્ટાર ગોવિંદાએ પત્નીના આરોપો પર પ્રતિક્રિયા આપી છે. તેણે તેના આરોપોને એક ષડયંત્રનો ભાગ ગણાવ્યા જે છેલ્લા કેટલાક સમયથી તેની વિરુદ્ધ ઘડાઈ રહ્યું છે. ગોવિંદાનો દાવો છે કે કોઈ છેલ્લા 15 વર્ષથી તેને નિશાન બનાવી રહ્યું છે. ANI ને આપેલા નિવેદનમાં ગોવિંદાએ કહ્યું કે તે તેના પરિવારની મહિલાઓ, જેમાં તેની માતા, સાસુ અને તેની પત્ની સુનિતા આહુજાનો સમાવેશ થાય છે, વિરુદ્ધ બોલવા માંગતો નથી. જ્યારથી સુનિતાએ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે, ત્યારથી તે તેના મનમાં જે આવે છે તે તેની ચેનલ પર વ્યક્ત કરી રહી છે.