મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસની હવે સીબીઆઇ તપાસ કરી રહી છે. સીબીઆઇ તપાસ નવા એન્ગલથી કરી રહી છે, હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસમાં હવે બાન્દ્રામાં સુશાંત જે બિલ્ડિંગમાં રહેતો એના પાડોશમાં રહેતી એક મહિલાએ મોટો ખુલાસો કર્યો છે. જેના કારણે સુશાંતના મોતનું રહસ્ય વધારે ગૂઢ બન્યું છે. સુશાંતના પાડોશીએ સુશાંતના મોતના આગળના દિવસ એટલે કે 13 જૂનની રાતના માહોલ અંગે ખુલાસો કર્યો છે.


સુશાંતના પાડોશમાં રહેનારી મહિલાનું કહેવુ છે કે સુશાંતની આત્મહત્યાના એક દિવસ પહેલા એટલે કે 13 જૂનની રાત્રે સુશાંતના ઘરે કોઇ પાર્ટી ન હતી થઇ અને તે દિવસે ફ્લેટની લાઇટો બંધ હતી. ઉલ્લેખનીય છે કે સુશાંતના પૉસ્ટમોર્ટમને લઇને પણ ડૉક્ટરોએ ખુલાસા કર્યા છે, ડૉક્ટરોએ બતાવ્યુ કે, અમને મુંબઇ પોલીસે જલ્દીથી પૉસ્ટમોર્ટમ કરવાનુ કહ્યું હત.

સુશાંતની પાડોશી મહિલા મીડિયા સામે આવી અને કહ્યું કે સુશાંત સિંહ સવારે 7 વાગ્યા સુધી જાગતો હતો, અને તેના ફ્લેટની લાઇટો ક્યારેય આટલી જલ્દી બંધ નથી થતી, પરંતુ તે રાત્રે લગભગ 10:30 વાગે બધી લાઇટો બંધ હતી. ફક્ત કિચનની લાઇટ જ ચાલુ હતી. તેમને કહ્યું કે, આ કોઇ સામાન્ય વાત નથી. તેમને એ પણ દાવો કર્યો કે સુશાંતના મોતના એક દિવસ પહેલા ત્યાં કોઇ પાર્ટી ન હતી થઇ.



સીબીઆઇની ટીમ હાલ સુશાંત કેસ સાથે જોડાયેલા તમામ લોકોની પુછપરછ કરી રહી છે. સીબીઆઇની ટીમે સુશાંતના ઘરે પહોંચીની ક્રાઇમ સીનને રિક્રિએટ કર્યો હતો. સીબીઆઇની ટીમની સાથે ફોરન્સિક એક્સપર્ટની ટીમ પણ હતી. આ ઉપરાંત સીબીઆઇની ટીમે સુશાંત કેસમાં સૌથી મહત્વના સાક્ષી સિદ્ધાર્થ, દિપેશ અને નિરજની પુછપરછ કરી હતી.