બોલિવૂડ ઇન્સ્ટ્રીમાં છેલ્લા ત્રણ દિવસમાં કેટલાક સ્ટાર્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમાંથી આમિરખાન, આર માઘવન અને મિલિંદ સોન જેવા સ્ટાર સામેલા છે. હવે અભિનેતા ઘર્મન્દ્રના ઘરમાં કામ કરતા ત્રણ લોકો પણ કોરોના સંક્રમિત થાય છે. ત્યારબાદ ધર્મેન્દ્રના પરિવારે પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જો કે બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. રિપોર્ટ નેગેટિવ આવતા ધર્મેન્દ્રએ ભગવાનનો આભાર માન્યો હતો.


ધર્મેન્દ્રનો રિપોર્ટ નેગેટિવ આવતા દેઓલ પરિવારે રાહતનો શ્વાસ લીધો. ઘરમાં ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઘર્મેદ્રે ઇ ટાઇમન્સને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું અને કહ્યું હતું કે, “ઇશ્વરની મારા પર દયા છે. મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોનાની બીજી લહેર ખરેખર ખતરનાક છે.


ધર્મેન્દ્રે આગળ લખ્યું કે, “પરિસ્થિતિ ઝડપથી નિયંત્રણમાં આવવી જોઇએ. નહીં તો હાથમાંથી નીકળી જશે. તેમણે કહ્યું કે, જે લોકોને કોરોના પોઝિટિવ છે. તેમની સ્વાસ્થ્ય સારૂ છે અને તમના પરિવારને પણ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો છે, તેમનો પરિવાર પણ સુરક્ષિત છે”


ધર્મેન્દ્રે 20 માર્ચે લગાવી હતી વેક્સિન


ધર્મેન્દ્રે 20 માર્ચે કોરોના વેક્સિન લગાવી હતી. તેની તસવીર પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. વેક્સિનેટ થયાની તસવીર શેર કરતા તેમણે લોકોને વેક્સિન લગાવવાની અપીલ પણ કરી હતી.



ફેન્સને વેક્સિન લગાવવા માટે કરી અપીલ


ધર્મેન્દ્રે વેકિનની તસવીર શેર કરતા લખ્યું હતું કે, “હું જોશમાં આવી ગયો અને વેક્સિન લેવા માટે નીકળી પડ્યો. આ કોઇ દેખાડો નથી મિત્રો હું આપને જાગૃત કરી રહ્યો છું. પ્લીઝ તમારૂ ધ્યાન રાખો અને વેક્સિન જરૂર લ”