મુંબઈઃ બોલિવૂડ એક્ટર ફરદીન ખાન ઘણાં લાંબા સમયથી ફિલ્મોથી ગાયબ છે. ફરદીન છેલ્લે વર્ષ 2010માં આવેલ ફિલ્મ દૂલ્હા બ ન ગયા મેંમાં જોવા મળ્યો હતો. પરંતુ થોડા સમય પહેલા ફરદીન ખાનના વજનને લઈને ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે. પંરુત આ મામલે ફરદીનનું કહેવું છે કે મને આવી વાતોથી કોઈ ફેર નથી પડતો.




બોડી શેમિંગ અને વજન પર વાત કરતાં ફરદીને કહ્યું કે, મને આવી કોઈ વાતથી ફેર નથી પડતો. ફરદીન પત્ની નતાશા અને બહેન સુઝૈનની સાથે એક ઇવેન્ટમાં પહોંચે હતો. ત્યાં તેને બોડી શેમિંગ અને વધેલા વજનને લઇને સવાલ કરવામાં આવ્યાં.



ફરદીન ખાને કહ્યું કે, મને લાગે છે કે, લોકોએ હવે આનાથી આગળ વધવું જોઇએ. હું જે પણ છુ દરરોજ પોતાને અરીસામાં જોઇ શકું છું. ફરદીન ખાને કહ્યું કે, 'હું મારા વિશે લખાયેલી દરેક લખાણ વાંચતો નથી. જો ક્યારેક વાંચી પણ લઉ તો હસવામાં કાઢી નાખુ છું'