Satish Shah Death: સતીશ શાહના નિધનથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી હાલમાં આઘાતમાં છે. અભિનેતાનું 25 ઓક્ટોબરના રોજ 74 વર્ષની વયે અવસાન થયું. આજે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં અનેક ટીવી અને બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. આ દરમિયાન, અભિનેતાના મેનેજરે તેમના મૃત્યુ પહેલા શું બન્યું તેની વિગતો જાહેર કરી.

Continues below advertisement

 સતીશ શાહનું શું થયું?

સતીશ શાહના અંતિમ સંસ્કારમાં હાજરી આપનારા અભિનેતાના મેનેજરે ANI સાથે વાત કરી. રમેશ કડાટલાએ કહ્યું, "ગઈકાલે બપોરે જ્યારે તેઓ લંચ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. લગભગ 2 કે 1:45 વાગ્યાનો સમય હતો. તેઓ જમતા હતા. તેમણે એક કોળિયો લીધો અને અચાનક જ આ બાદ  બેહોશ થઈ ગયા. અડધા કલાક પછી એમ્બ્યુલન્સ આવી, અને જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા."   

Continues below advertisement

                                                                                             

સતીશ શાહનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું.

સતીશ શાહના મેનેજરે જણાવ્યું કે, શાહ લાંબા સમયથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા. થોડા દિવસ પહેલા તેમણે કોલકાતામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. તેમને દોઢ મહિના માટે બેડ રેસ્ટ સૂચવવામાં આવ્યો હતો, અને પછી તેઓ સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા હતા. વધુમાં, સતીશના મિત્ર અને પીઢ અભિનેતા રાકેશ બેદીએ નવભારત ટાઇમ્સને જણાવ્યું હતું કે અભિનેતાને હૃદયની ગંભીર બીમારી હતી. ત્યારબાદ તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું, જે તેમને અનુકૂળ ન આવ્યું.

 

સતીશ શાહના અંતિમ સંસ્કારમાં કોણ કોણ હાજર રહ્યું?

સતીશ શાહના અંતિમ સંસ્કાર મુંબઈમાં થયા હતા. તેમના પરિવાર ઉપરાંત, ટીવી અને બોલિવૂડના અનેક સ્ટાર્સ તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. આ યાદીમાં પંકજ કપૂર, રત્ના પાઠક, સુપ્રિયા પાઠક, નસીરુદ્દીન શાહ, દિલીપ જોશી, રૂપાલી ગાંગુલી, રાજેશ કુમાર, અનંગ દેસાઈ અને ફરાહ ખાન જેવી હસ્તીઓનો સમાવેશ થાય છે. બધાએ અભિનેતાને આંસુભરી આંખે  વિદાય આપી. આના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.