Priyanka Chopra on Bollywood: વૈશ્વિક અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ 2015 માં "ક્વોન્ટિકો" થી હોલીવુડની સફર શરૂ કરી હતી. હવે, વૈશ્વિક મનોરંજન ઉદ્યોગમાં પોતાને સ્થાપિત કર્યાના લગભગ એક દાયકા પછી, અભિનેત્રીએ તાજેતરમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગ છોડી દેવા વિશે ખુલીને વાત કરી. પ્રિયંકાએ તેની કારકિર્દીની ટોચ પર ભારતમાં તણાવપૂર્ણ સંબંધોનું મેનેજમેન્ટ  કરવા વિશે ખુલીને વાત કરી. તે સમયગાળાને યાદ કરતાં, પ્રિયંકાએ કહ્યું કે તેમને "ગંદકીમાં રહેવાનું નથી ગમતુ"  તેમણે બે અભિનેત્રીઓનું નામ પણ આપ્યું.  જેમણે તેમને  હોલીવુડમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી હતી. 

પ્રિયંકા ચોપરા તાજેતરમાં અમાન્ડા હિર્શના "નોટ સ્કિની બટ નોટ ફેટ" પોડકાસ્ટ પર દેખાઈ હતી. વાતચીત દરમિયાન, તેમણેએ હોલીવુડ જવાના તેના નિર્ણયની ચર્ચા કરી. તેમણે  શરૂઆતના દિવસોને યાદ કરતા, પ્રિયંકાએ ખુલાસો કર્યો કે, તેમણે કારકિર્દીના શિખર દરમિયાન, તેમના  બોલિવૂડમાં કેટલાક પ્રતિકૂળ સંબંધો હતા. જેના કારણે અભિનેત્રીએ હોલીવુડ જવાનું નક્કી કર્યું.

ઐશ્વર્યા રાય તરફથી પ્રેરણાજ્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે, તે અમેરિકન ફિલ્મ ઉદ્યોગમાં કેમ કામ કરવા માંગે છે, ત્યારે તેણે કહ્યું, "જ્યારે હું ભારતમાં કામ કરતી હતી, ત્યારે મને મર્યાદિત લાગતું હતું. હું જોવા માંગતી હતી કે, ત્યાં બીજું શું છે. મિન્ડી કલિંગ અને ઐશ્વર્યા રાય સિવાય, હોલીવુડમાં ખૂબ ઓછી સ્ત્રી કે પુરુષ ભારતીય કલાકારો હતા. મને આશ્ચર્ય થયું કે અમને તે પ્રતિનિધિત્વ કેમ ન મળ્યું. તેનાથી મને અમેરિકામાં 9મા ધોરણના વિદ્યાર્થી જેવો અનુભવ થયો, જ્યાં કોઈ મારા જેવું દેખાતું ન હતું. મેં તે સમયે તેના વિશે વધુ વિચાર્યું ન હતું. પરંતુ હોલીવુડમાં કામ શોધવાનું શરૂ કરનાર વ્યક્તિ તરીકે, મને આશ્ચર્ય થયું કે હું ક્યાં ઉભી છું? હું કેવી રીતે શરૂઆત કરી શકું? તે ત્યાં કઈ શક્યતાઓ છે તે જોવાની ઇચ્છા અને જરૂરિયાતમાંથી હોલિવૂડનો રસ્તો ખુલ્યો."

"મને ગંદકીમાં રહેવું ગમતું નથી."

વાતચીત દરમિયાન પ્રિયંકાએ કહ્યું, "કંઈ પણ સરળ નથી. આપણા બધા પાસે એવી લડાઈઓ હોય છે જે આપણે લડવી પડે છે અને સંભાળવી પડે છે. હું એવી વ્યક્તિ છું જેને ગંદકીમાં રહેવું ગમતું નથી કારણ કે પછી તમને ગંધની આદત પડી જાય છે. હું પરિવર્તનમાં ખૂબ જ વિશ્વાસ રાખું છું. જ્યારે જીવન મુશ્કેલ બને છે, ત્યારે આપણે મનુષ્ય તરીકે ખૂબ જ મજબૂત છીએ; આપણી પાસે પોતાને ઉપાડવાની, પોતાને સાફ કરવાની, ભાવનાત્મક બનવા માટે થોડો સમય કાઢવા અને પીડા અનુભવવાની અને પછી ફેરફારો કરવાની ક્ષમતા હોય છે."

પ્રિયંકા ચોપરાએ વધુમાં જણાવ્યું કે. તેમણે તેમની કારકિર્દીમાં ઘણી વખત આવું કર્યું છે, અને કહ્યું કે જ્યારે તેમણે  હોલીવુડમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું, ત્યારે તેના માટે કોઈ સ્પષ્ટ રસ્તો નહોતો. પ્રિયંકાએ કહ્યું, "હું ફક્ત એટલું જ જાણું છું કે હું એક મહેનતુ વ્યક્તિ છું અને હું મારું કામ જાણું છું. મને કોઈપણ ફિલ્મ નિર્માતા અથવા સહ-અભિનેતા સાથે સેટ પર લાવો અને હું તેમનો સામનો કરીશ અને પર્ફોમ કરીશ