Bollywood News:મોટાભાગની સેલિબ્રિટીઓ પાપારાઝી સામે ધીરજ રાખે છે, પરંતુ જયા બચ્ચન તેમાંથી એક નથી. તેમના માટે પોઝ આપવાને બદલે, તેણીએ વારંવાર તેમનો ગુસ્સો તેમના પર ઠાલવ્યો છે. જયા બચ્ચને તાજેતરમાં પાપારાઝીને ઠપકો આપ્યો હતો, અને હવે તે ફરી એકવાર ગુસ્સે થતી જોવા મળી છે. તાજેતરમાં, તે એક કાર્યક્રમમાં દેખાઈ હતી જ્યાં પાપારાઝીએ તેને વારંવાર પોઝ આપવાનું કહેતા ગુસ્સે થતી જોવા મળે છે. આ સમયે કરણ જોહર પણ હાજર હતો.
જયા બચ્ચન કરણ સાથે જોવા મળીમુંબઈમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયા બચ્ચન પણ હાજર રહ્યા હતા. શરૂઆતમાં, તે કેટલીક મહિલાઓ સાથે ગપસપ કરતી જોવા મળી હતી, જે દરમિયાન પાપારાઝીએ તેમને પોઝ આપવા અને એક ફોટો ખેંચાવવા રિકવેસ્ટ કરી. અભિનેત્રીએ શરૂઆતમાં ના પાડી, તેમની સામે જોતી રહી અને પછી તેમને અવગણવા લાગી.
જયા બચ્ચન પેપ્સથી નારાજ થઈ ગયાઆ પછી, કરણ જોહર અંદર આવ્યો અને જયા બચ્ચન સાથે વાત કરી. અભિનેત્રીએ તેમના તરફ આંગળી ચીંધીને તેમને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો, આ સમયે તે ખૂબ ગુસ્સામાં જોવા મળી હતી. આ સમયે કરણ જોહરે પેપ્સ સાથે મજાક કરી, "તને મારા કારણે ફોટો મેળ્યો" પછી તેણે જયાને એ જ પ્રશ્ન પૂછ્યો, અને બંને હસવા લાગ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જયા બચ્ચનનું પાપારાઝી વિશે વિવાદાસ્પદ નિવેદનનોંધનીય છે કે, જયા બચ્ચને તાજેતરમાં પાપારાઝી પર પ્રહાર કર્યા હતા. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, "હું મીડિયાનું ઉત્પાદન છું, પણ પાપારાઝી સાથે મારો સંબંધ શૂન્ય છે. આ લોકો કોણ છે? શું તેઓ આ દેશના લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે તાલીમ પામેલા છે?"
તેમણે એમ પણ કહ્યું, "પરંતુ આ જે બહાર ઉભા છે, તેઓ ચુસ્ત, ગંદા ટાઇટ પેન્ટ પહેરીને હાથમાં મોબાઈલ ફોન લઈને આવી જાય છે અને , વિચારે છે કે તેઓ તમારા ફોટા લઈ શકે છે અને પછી તેને પર ગમે તેવી ટિપ્પણીઓ કરે છે? આ એના પ્રકારના લોકો છે. જેના પર સવાલ થવા સ્વાભાવિક છે કે, તેઓ ક્યાંથી આવે છે? તેમનું શિક્ષણ કેવું છે? તેમનું બ્રેકગ્રાઉન્ડ શું છે?"
