Junior NTR In Hyderabad: સાઉથનો સુપરસ્ટાર જુનિયર એનટીઆર તેની ફિલ્મ 'એનટીઆર 30' માટે ચર્ચામાં રહે છે. આ દરમિયાન અભિનેતાએ ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જે હવે લાઈમલાઈટમાં છે. એનટીઆર તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે હૈદરાબાદ પહોંચ્યા હતા. જ્યાં તેણે ફેન્સને કહ્યું કે, 'હવે તે ફિલ્મો સાઈન કરવાનું બંધ કરી દેશે'.


ચાહકોથી પરેશાન એનટીઆરએ આ વાત કહી


ફેન્સ વારંવાર ફિલ્મ વિશે હૈદરાબાદ ઇવેન્ટમાં પહોંચેલા જુનિયર એનટીઆરને સવાલ કરી રહ્યા હતા. જેના પર અભિનેતાએ કહ્યું, "હું કોઈ ફિલ્મ નથી કરી રહ્યો અને જો તમે વારંવાર પૂછશો તો હું ફિલ્મો કરવાનું બંધ કરી દઈશ." આનો એક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


અભિનેતાના ગીતે ઓસ્કાર જીત્યો છે


એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR'ના 'નાટુ-નાટુગીતને હાલમાં જ ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. જેમાં જુનિયર એનટીઆર અને રામ ચરણે બેંગ ડાન્સ મૂવ્સ કર્યા છે. ગીતને રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવે પોતાનો અવાજ આપ્યો છે. ગીતો સિવાયફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ નાના રોલમાં જોવા મળી હતી. તે રામચરણની પત્ની સીતાના રોલમાં હતી.






એનટીઆર આ ફિલ્મમાં જાહ્નવી કપૂર સાથે જોવા મળશે


વર્ક ફ્રન્ટની વાત કરીએ તોજુનિયર NTR આ દિવસોમાં 'NTR 30'ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તે જાન્હવી કપૂર સાથે જોવા મળશે. જાન્હવી આ ફિલ્મથી તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મ એપ્રિલ 2024ના રોજ રીલિઝ થઈ રહી છે.


આ પણ વાંચો: Oscar 2023: ગુનીત મોંગાએ ઓસ્કારને લઈ કર્યો ધડાકો, થયું હળહળતું અપમાન


Guneet Monga On Oscar Speech Video: ઓસ્કર 2023માં ભારતીય ફિલ્મોએ ઈતિહાસ સર્જી દીધો છે. આ વખતે ફિલ્મ જગતના સૌથી શ્રેષ્ઠ કહેવાતા આ એવોર્ડ શો માં ભારતીય ફિલ્મોનો દબદબો રહ્યો હતો. આ વર્ષના ઓસ્કારમાં પીઢ દિગ્દર્શક એસએસ રાજામૌલીની 'RRR'ની 'નાતુ નાટુ'ને શ્રેષ્ઠ મૂળ ગીતની શ્રેણી અને બોલિવૂડ ફિલ્મ નિર્માતા ગુનીત મોંગાની દસ્તાવેજી 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'એ આ વર્ષે ઓસ્કારમાં શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મની શ્રેણી જીતી હતી. જોકે 95માં ઓસ્કારમાં ગુનીત મોંગા સાથે ભેદભાવના સમાચાર સામે આવ્યા હતા. જેમાં ગુનીતને વિજેતા ભાષણમાં વધુ બોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ગુનીત મોંગાએ આ મામલે મૌન તોડતા વિવાદ સર્જાયો છે.

ગુનીત મોંગાએ ઓસ્કાર વિજેતા ભાષણ વિશે વાત કરી

પોતાની ડોક્યુમેન્ટ્રી 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' દ્વારા 2023માં ઓસ્કાર એવોર્ડ જીતનાર ગુનીત મોંગાએ તાજેતરમાં બોમ્બે ટાઈમ્સને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન, ગુનીત મોંગાએ તે ઘટના વિશે વાત કરી જ્યારે ફિલ્મ નિર્માતાએ ઓસ્કાર જીત્યા બાદ સ્ટેજ પરના તેમના વિજેતા ભાષણ દરમિયાન વિક્ષેપ પાડ્યો હતો. આ બાબતે ગુનીતે કહ્યું છે કે, લોકો ખૂબ જ ખરાબ અનુભવી રહ્યા છે કે મને ઓસ્કાર જીત્યા બાદ બોલવા ના દેવામાં આવી. જેના માટે એકેડમીને ખૂબ જ આકરા શબ્દોમાં ખરી ખોટી સાંભળવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને ટ્વીટ દ્વારા એકેડમીના આ પ્રકારના વર્તન સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુનીત મોંગાએ કહ્યું હતું કે, મને મારી વાત કહેવાની તક જ ના આપવામાં આવી. આ સમગ્ર ભારતની ક્ષણ હતી, જે મારી પાસેથી છીનવાઈ ગઈ હતી. હું માત્ર એટલું જ કહેવા માંગતી હતી કે મારી ફિલ્મ ભારતમાં નિર્મિત પ્રથમ ફિલ્મ છે જેણે ઓસ્કાર જીત્યો હતો.


ગુનીતે દેશનું સન્માન વધાર્યું

આજે આખો દેશ ગુનીત મોંગાના વખાણ કરી રહ્યો છે અને તેને અભિનંદન આપી રહ્યો છે. એ સ્વાભાવિક પણ છે કારણ કે, ગુનીત મોંગાની ટૂંકી ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ' ઓસ્કાર જીતનારી પ્રથમ ભારતીય દસ્તાવેજી ફિલ્મ છે.