શું સંજય દત્તને આ હોટ એક્ટ્રેસ સાથે હતું અફેર ? બુકમાં કરવામાં આવ્યો ખુલાસો
બુકમાં લખવામાં આવ્યું છે કે, સંજય દત્તની પત્તની રિચા જ્યારે ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહી હતી ત્યારે તેના સુધી માધુરી સાથે અફેરની વાત પહોંચી. પતિના અફેર અંગે જાણીને રિચા બેચેન થઈ ગઈ અને તે ગમે તેમ રીતે ભારત આવીને લગ્ન બચાવા માંગતી હતી.
આ ઘટના બાદ ટાડા મામલે સંજય દત્તની ધરપકડ થઈ ગઈ હતી. માધુરીના માતા પિતા પહેલાંથી જ સંજય દત્ત સાથે સંબંધને લઇ નારાજ હતા. સંજય જેલમાં ગયા બાદ માધુરીએ તેનાથી અંતર જાળવી રાખવાનું યોગ્ય માન્યું.
1992માં ત્રણ વર્ષ બાદ રિચા તેની દીકરી સાથે મુંબઈ આવી. ત્યારે તેનું કેન્સર ઠીક થઈ ગયું હતું. પરંતુ સંજય તેની અવગણના કરતો રહ્યો. એક ઇન્ટરવ્યુમાં રિચાની બહેન અના શર્માએ કહ્યું હતું સંજય રિચા અને દીકરી ત્રિશાલાને લેવા એરપોર્ટ સુદ્ધાં નહોતો ગયો. મુંબઈમાં 15 દિવસ રોકાયા બાદ રિયા ન્યૂયોર્ક પરત જતી રહી.
આ સાથે જ તેમની લવ સ્ટોરીનો પણ અંત આવી ગયો.
રિચા પતિ સાથે સંબંધ સુધારવા માંગતી હતી. પરંતુ 1993માં સંજય દત્તે તલાકની અરજી આપી હતી. આ દરમિયાન 1993માં રિચાનું કેન્સર ફરી ઉભર્યું. જે બાદ સંજય દત્તની ચોમેરથી ટિકા થઈ અને થોડાં જ દિવસોમાં તેનું મોત થયું હતું.
મુંબઈઃ 90ના દાયકામાં સંજય દત્ત અને માધુરી દીક્ષિતની લવ સ્ટોરી બોલીવુડમાં છવાયેલી હતી. પડદા પરની આ હિટ જોડી, રીયલ લાઇફમાં સફળ ન થઈ શકી. તાજેતરમાં જ યાસીર અહમદે સંજય દત્ત પર લખેલી બુક ‘સંજય દત્તઃ ધ ક્રેઝી અનટોલ્ડ લવ સ્ટોરી ઓફ બોલીવુડ બેડ બોય’માં સંજય-માધુરીના અફેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.