બોની કપૂરે શ્રીદેવી પહેલા મોના સાથે કર્યા હતા લગ્ન, બન્ને પત્નિઓના નિધન વચ્ચે આ છે સામ્યતા
શ્રીદેવી અને બોની કપૂરે 2 જૂન 1996માં લગ્ન કર્યા હતા. શ્રીદેવી જ્યારે તમિલ ફિલ્મમાં કામ કરતી હતી, બોની કપૂર ત્યારથી તેને પસંદ કરતા હતા. લગ્ન પહેલા શ્રીદેવીને મળવા માટે બોની કપૂર એક વખત ચેન્નઈ પહોંચી ગયા હતા પરંતુ તે વિદેશમાં હતી.
શ્રીદેવી મોટી દીકરી જ્હાન્વી કપૂરની ડેબ્યૂ ફિલ્મ ન જોઈ શકી. જ્હાન્નવી કપૂર અને શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર ધડક ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહ્યા છે.
શ્રીદેનીની મોટી દીકરી જ્હાન્વી કપૂરની ડેબ્યૂ ફિલ્મ ધડક રિલીઝ થવાની છે. ધડક ફિલ્મને કરણ જૌહર પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મ 20 જુલાઈએ રિલીઝ થશે.
અર્જૂન કપુરની ડેબ્યૂ ફિલ્મ ઇશ્કજાદેની રિલીઝ થવાના પહેલા જ તેની માતા મોના કપૂરનું નિધન થયું હતું. ઇશ્કજાદે ફિલ્મ 11 મે 2012માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અર્જૂન કપૂરની સાથે પરણિતી ચોપરા જોવા મળી હતી.
મોના કપૂર અને શ્રીદેવીના મોત વચ્ચે એક સામાન્ય છે. બોનીકપૂરે 1983માં મોના સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ 1985માં અર્જૂન કપૂરનો જન્મ થયો હતો.
બોની કપૂરની પ્રથમ પત્ની મોના કપૂરનું નિધન 25 માર્ચ 2012માં કેન્સરથી થયું હતું. મોના કપૂરથી બોની કપૂરને બે સંતાન છે. અર્જુન કપૂર બોલીવુડના સ્ટાર એક્ટર છે અને તેની બહેન અંશૂલા કપુર છે.
નવી દિલ્હીઃ 80 અને 90ના દાયકામાં બોલીવુડ પર રાજ કરનાર શ્રીદેવીનું દુબઈમાં નિધન થયું છે. શ્રીદેવી ત્યાં એક ફેમિલી ફંક્શનમાં ભાગ લેવા ગઈ હતી. શ્રીદેવી માત્ર 54 વર્ષની હતી. તેની મોતથી સમગ્ર બોલીવુડમાં શોકનો માહોલ છે. તેના મોતના થોડા જ કલાક પહેલા અમિતાભ બચ્ચને એક ટ્વિટ કર્યું હતું જેમાં તેણે કહ્યું કે કંઈક ગભરામણ થઈ રહી છે, તેનું શું કારણ છે તે સમજમાં નથી આવતું. કહેવાય છે કે, શ્રીદેવીનું નિધન શનિવારે રાત્રે અંદાજે 11-30 કલાકની આસપાસ થયું.